SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ નયોનું સ્વરૂપ (નિ. ૧૦૫૩) ૩૫૭ नैगमसङ्ग्रहव्यवहारऋजुसूत्रशब्दसमभिरूढवम्भूतभेदभिन्ना:खल्वोघतः सप्त भवन्ति, स्वरूपं चैतेषामधः सामायिकाध्ययने न्यक्षेण प्रदर्शितमेवेति नेह प्रतन्यते, इह पुनः स्थानाशून्यार्थमेते ज्ञानक्रियानयद्वयान्तर्भावद्वारेण समासतः प्रोच्यन्ते, ज्ञाननयः क्रियानयश्च, तथा चाऽऽह विज्जाचरणनएसुं सेससमोआरणं तु कायव्वं । सामाइअनिज्जुत्ती सुभासिअत्था परिसमत्ता ॥१०५३॥ व्याख्या : 'विज्जाचरणनएसुं'ति विद्याचरणनययोः ज्ञानक्रियानययोरित्यर्थः, 'सेससमोयारणं तु कायव्वं ति शेषनयसमवतार: कर्तव्यः, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ?-तौ च वक्तव्यौ, सामायिकनियुक्तिः सुभाषितार्था परिसमाप्तेति प्रकटार्थमिति गाथार्थः ॥१०५३॥ साम्प्रतं स्वद्वार एव शेषनयान्तर्भावेनाधिकृतमहिमानौ अनन्तरोपन्यस्तगाथागततुशब्देन चावश्यवक्तव्यतया विहितौ ज्ञानचरणनयावुच्येते, तत्र ज्ञाननयदर्शनमिदं-ज्ञानमेव प्रधानमैहि- 10 कामुष्मिकफलप्राप्तिकारणं, युक्तियुक्तत्वात्, तथा चाऽऽह नायंमि गिण्हिअव्वे अगिण्हिअव्वंमि चेव अत्थंमि । जइअव्वमेव इअ जो उवएसो सो नओ नामं ॥१०५४॥ હવે નયોની વિચારણા કરવાની છે. તેમાં તે નયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત આ પ્રમાણે સામાન્યથી સાત છે. દરેક નયનું સ્વરૂપ પૂર્વે સામાયિક 15 અધ્યયનમાં વિસ્તારથી બતાવી જ દીધું હોવાથી અહીં બતાવાતું નથી. છતાં પણ અહીં સ્થાન શૂન્ય ન રહે તે માટે આ સાતે નય જ્ઞાનનય અને ક્રિયાનયમાં સમાવેશ કરવા દ્વારા સંક્ષેપથી કહેવાય છે. બે નયો છે જ્ઞાનનય અને ક્રિયાનય. તે જ કહે છે કે, ગાથાર્થ : વિદ્યા અને ચારિત્રનયોમાં શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. સારી રીતે કહેવાયેલા છે અર્થો જેમાં એવી સામાયિકનિયુક્તિ સમાપ્ત થઈ. 20 ટીકાર્થ : વિદ્યાનય = જ્ઞાનનય અને ચારિત્રનય = ક્રિયાનયમ શેષ નયોનો સમાવેશ કરવા યોગ્ય છે. અહીં ‘તુ' શબ્દ વિશેષ અર્થને જણાવનારો છે. જ્યાં વિશેષ અર્થને જણાવે છે ? તે કહે છે – આ બંને નયો કહેવા યોગ્ય છે. સુભાષિત–અર્થોવાળી સામાયિકનિર્યુક્તિ પરિસમાપ્ત થઈ. આ વાક્યનો અર્થ પ્રગટ સ્પષ્ટ જ છે. ll૧૦૫all અવતરણિકા : હવે પોતાના દ્વારમાં જ (અર્થાત્ જ્ઞાન-ક્રિયાના પોત પોતાના દ્વારમાં જ) 25 શેષનયોનો સમાવેશ કરવા દ્વારા પ્રગટ કરાયેલો છે મહિમા જેઓનો (અર્થાત શેષ નયોનો સમાવેશ કરવા દ્વારા વધારવામાં આવ્યું છે મહત્ત્વ જે બે નયોનું એવા આ બે નયો) અને હમણાં જ બતાવેલી ગાથામાં રહેલ “તુ’ શબ્દવડે અવશ્ય કહેવા યોગ્ય તરીકે સ્થાપિત કરાયેલા એવા જ્ઞાન અને ક્રિયા નય કહેવાય છે. તેમાં જ્ઞાનનયની માન્યતા આ પ્રમાણે છે -- જ્ઞાન જ યુક્તિ-યુક્ત હોવાથી આ લોક અને પરલોકમાં ફળની પ્રાપ્તિ માટેનું પ્રધાન કારણ છે. કહ્યું છે કે ' ગાથાર્થ : ઉપાદેય અને અનુપાદેય એવા પદાર્થો જણાયા પછી (મોક્ષ માટે) પ્રયત્ન જ કરવા યોગ્ય છે. આ પ્રમાણેનો જે ઉપદેશ છે તે નય છે. 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy