SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક ૨૧ : સુધરવૃત્ત: . अग्रे पश्चादधस्तादुपरि च परितो दिक्षु चान्यास्वनादि कूटस्था संविदेका सकलतनुभृतामन्तरात्मानियंत्री। यस्यानन्दस्वभावा स्फुरति शुभधियः प्रत्यहं निष्प्रपश्चा जीवन्मुक्तः स लोके जयति गतमहामोहविश्वप्रपश्चः॥३६ ३३ સર્વ પ્રાણીઓના અંતરાત્મા૫, પ્રાણી માત્રને નિયમમાં રાખનારા, અવિકારી, જ્ઞાનસ્વરુપ એક પરમાત્મા જ આગળ, પાછળ, નીચે, ઉપર, ચોતરફ અને સર્વે દિશાઓમાં વ્યાપીને રહેલા છે. જે પવિત્ર બુદ્ધિવાળા પુરુષને એ આનંદસ્વરૂપ તથા પ્રપંચથી રહિત એવા પરમાત્માનું નિત્ય સ્મરણ થયા કરે છે, તેને મહા મેહ તથા વિશ્વમાં પ્રપંચ મિથ્યા લાગે છે, અને તે જીવન્મુક્ત પુરુષ આખા જગતમાં વિજય પામે છે. ૩૬ : શાર્દૂવિઝીટિવૃત્ત : ते धन्या भुवने सुशिक्षितपरब्रह्मात्मविद्या जना लोकानामनुरंजका हरिकथापीयूषपानप्रियाः! येषां नाकतरंगिणीतटशिलाबद्धासनानां सतां प्राणा यान्ति लयं सुखेन मनसा श्रीरंगचिन्ताभृताम् ॥३७॥ હરિગુણ ગાઈને લેકને પ્રસન્ન કરનારા, હરિકથારૂપી અમૃતનાં પાનને પ્રિય માનનારા, સંપૂર્ણ પરિશ્રમ કરીને આ જગતમાં બ્રહ્મવિદ્યાને સંપાદન કરનારા લોકો ખરેખર ભાગ્યશાળી છે. કારણ કે તે પુરુષો ગંગા નદીના તીર ઉપર આવેલા શિલાતટ ઉપર આસન લગાવીને શ્રીકૃષ્ણ પરમાત્માનું મનમાં ધ્યાન કરતા કરતા સુખેથી પિતાના પ્રાણ તજે છે. ૩૭
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy