SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનશતક તવં પદને અર્થ જીવ છે અને તત પદને અર્થ ત્રણ ભુવનેને ઉત્પન્ન કરનારા પરમાત્મા છે. જે પુરુષ મેહથી ઉત્પન્ન થનારા અજ્ઞાનને ત્યાગ કરી દઈ પરમામાની સાથે એકતાને પામવાની ઈચ્છા રાખે છે, તેણે કૃતિની એટલે વેદવચનની તથા પિતાના આચાર્યની કૃપાથી અનુપમ એવી બ્રહ્મવિદ્યા સંપાદન કરવી. જીવ પરમાત્માની સાથે એકતાને પામે છે, કે તેની અનાદિ કાળની અવિદ્યા નાશ પામે છે. તે સર્વ જાતની સ્પૃહાએથી પણ રહિત થાય છે અને આનંદઢ૫ બ્રહ્મવિષે સ્થિતિ કરે છે. ૩૨ કરિશarળવૃત્ત : अहं ब्रह्मास्मीति स्फुरदमलबोधो यदि भवेत्पुमान् पुण्योद्रेकादुपचितपरानर्थविरतिः। तदानीं वाविद्या क्व च तवममेत्यल्पविषयोऽभिमानः संसारः क्वच विविधदुःखैकवसतिः ॥३३॥ પુરુષને જયારે “અહું ત્રદ્યારિના હું બ્રદ્ધારૂપ છું, આવું નિર્મળ જ્ઞાન થાય છે, ત્યારે પુણ્યની વૃદ્ધિ થવાથી તેનાં સર્વ પાપ શાંત પડી જાય છે; અને બ્રહ્મજ્ઞાન કરાવનારા ઉપનિષદના વિચારો મનમાં એકદમ આવવા માંડે છે, તેથી તેની અવિદ્યા પણ નાશી જાય છે. આ તારું, અને આ મારું એવું તેનું અભિમાન લય પામે છે, અને અનેક જાતનાં દુઃખાના સ્થાન પ આ સંસાર પણ કોણ જાણે કયાંએ નાશી જાય છે. ૩૩ : ધરાવૃત્ત : हित्वा विश्वाद्यवस्थाः प्रकृतिविलसिता जाग्रदायैर्विशेषैः सार्धं चैतन्यधातौ प्रकृतिमपि समं कार्यजातैरशेषैः। मानानन्दं तुरीयं विगलितगुणक देशकालाद्यतीतं स्वात्मानं वीतनिद्रः सततमधिकृतश्चिन्तयेदद्वितीयम्॥३४॥
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy