SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧e ભકિત નિંદવા લાયક છે, પણ મણિઓની હલકાઈ થતી નથી. (મતલબ-જેમ મણિની યથાર્થ કિંમત ન જાણનાર ઝવેરીઓ નિંદવા લાયક છે, તેમ કવિઓનું યથાર્થ સ્વરૂપ ન જાણનાર રાજાઓ પણ નિંદવા લાયક છે.)૧૧ વિદ્યારૂપી ગુપ્ત ધન હવે રાજાએ વિદ્વાનોનું સંમાન કરવું જોઈએ, પણ તેઓને તિરસ્કાર કરવો ન જોઈએ, એમ નીતિવિધાનાં વખાણ કરીને વૈભવસંપન્નોને અને રાજાને બોધ કરવા માટે બે લોકો કહે છે. शादिलविक्रीडितवृत्त हर्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा ह्यर्थिभ्यः प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धि पराम् । कल्पान्तेष्वपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं येषां तान प्रति मानमुज्झत नृपाः कस्तैः सह स्पर्धते ॥१२॥ જે ધન, ચેર વગેરેના જોવામાં આવતું નથી, અત્યુત્તમ કલ્યાણ કરે છે, માગણ લોકોને નિરંતર આપવાથી હંમેશાં અતિ વૃદ્ધિને પામે છે અને પ્રલયકાળમાં પણ નષ્ટ થતું નથી, એવું વિદ્યાપી ગમ ધન, જે વિદ્વાને પાસે છે, તેઓની કાણુ સ્પર્ધા કરે? (અર્થાત કેઈ નહીં). માટે હે રાજાઓ! તે વિદ્વાને પ્રત્યે “અમે શ્રીમંત રાજા છીએ અને આ વિદ્વાને નિર્ધન અને તુચ્છ છે” એ ગર્વ છોડી ઘા.૧૨ પંડિતો કોઈના તાબેદાર નથી : मालिनीवृत्त अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था'स्तृमिव लघु लक्ष्मी व तान्संरुणद्धि। .. अभिनवमदले(रे)खाश्यामगण्डस्थलानां ४. न भवति बिसतन्तुर्वाणं वारणानाम् ॥१३॥ જેમ નૂતન મદલેખાથી શ્યામ થયેલા ગંડસ્થળવાળા મદેન્મત્ત હસ્તીઓને, કમળદંડતંતુથી વારી રખાતા નથી, તેમ
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy