SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પિટ ભર્તુહરિકૃત જેમાં કર્મ કહેલાં છે તેવા વેદ, ધર્મ, અર્થ અને કામમાં પ્રવર્તાવનારી સ્મૃતિઓ, વ્રત વગેરે જણાવનારા, પુરાણે ના પાડે, મોટાં વિસ્તારવાળાં શાસ્ત્રો અને સ્વર્ગસૂપી ગામની એક ઝુપડીમાં નિવાસરૂપી ફળને આપવાવાળા યજ્ઞ વગેરે કર્મક્રિયાના વિલાસેનું શું પ્રયેાજન છે? કારણ કે સંસારના બંધનરૂપી દુઃખની રચનાને નાશ કરવામાં પ્રલયના અગ્નિ જેવાં એક બ્રહ્મજ્ઞાનરુપી સ્થાનમાં પ્રવેશ. વિના અર્થાત પરબ્રાનાં પદની પ્રાપ્તિ વિના બીજી વૃત્તિઓ વ્યાપારની પેઠે જીવિકા માટે છે. ૧ અવ -ભલભલાનો નાશ છે, તે આ દેહનું શું ગજું! शिखरिणीवृत्त यदा मेरुः श्रीमानिपतति युगान्ताग्निनिहतः समुद्राः शुष्यन्ति प्रचुरमकरग्राहनिलयाः। धरा गच्छत्यन्तं धरणिधरपादैरपि धृता शरीरे का वार्ता करिकरभकर्णाग्रचपले ॥७२॥ જ્યારે યુગાંતના અગ્નિથી બળતાં શ્રીમાન મેરુપર્વત પણું પડી જાય છે, જ્યારે ઘણું મગર અને ગ્રાહના ઘર૫ સમુદ્રા પણ સૂકાઈ જાય છે અને જ્યારે પર્વતાનાં ચરણેથી ધરાયલી ધરાને પણ અંત આવી જાય છે, ત્યારે બાળહસ્તીના કર્ણના છેડા જેવા ચપળ શરીરની શી વાત! ૭૨ તાત્પર્ય-મેરુ પર્વત પડે છે, સમુદ્ર સૂકાઈ જાય છે અને પૃથ્વીને પણ અંત આવી જાય છે તે ક્ષણભંગુર દેહ તે કોણ માત્ર * સમુદ્ર સાત છે અને તેનાં નામ-ક્ષીરાદ, ઇક્ષુરસદ, સુરેદ, વૃદ, દધિમડાદ, ક્ષારદ અને દાદ. .
SR No.005743
Book TitleShatak Chatushtay Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalkrishna B Vaidya, Shankarlal J Joshi
PublisherGujarati Printing Press
Publication Year1951
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy