SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય આ ગ્રંથમાં શ્રી સોમસુંદરસૂરિ વિરચિત શ્રી પર્યંત આરાધના સૂત્રને અવસૂરિ તથા અનુવાદ સાથે તથા |શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ પ્રમાદ પરિહાર કુલક સાનુવાદ પ્રકાશીત કરીએ છીએ. શ્રી વિનયવિજયજી મ. રચિત આઠ ઢાળનું પુણ્ય i પ્રકાશનું સ્તવન આપણા સંઘમાં સુપ્રસિદ્ધ છે. આમાં દશ । પ્રકારની અંતિમ આરાધના બતાવી છે. માંદગી વગેરેમાં આનું શ્રવણ આજે પણ કરાય છે. આ પુણ્યપ્રકાશના । સ્તવનની રચના શ્રી સોમસૂરિ વિરચિત પર્યંતારાધનાના આધારે કરવામાં આવી છે. અહીં તે પર્યંતારાધના સૂત્રને । તેની અવસૂરિ અને અનુવાદ સહિત ગ્રંથમાં પ્રકાશિત કરીએ છીએ. જૈન શાસનમાં મૃત્યુની પણ વિધિ હોય છે. શાસ્ત્રવિધિ | પૂર્વક સઘળુ વોસિરાવીને મૃત્યુ પામનાર આત્માના મરણને પંડિત મરણ કહે છે. પંડિત મરણ પામનાર આત્માઓ | સદ્ગતિ પામીને થોડા જ ભવોમાં નિર્વાણને પામે છે. આવા ગ્રંથો આરાધકોને ખૂબ જ ઉપયોગી છે. આ
SR No.005742
Book TitleParyant Aradhana Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1996
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anykaalin
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy