SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સિદ્ધે સત્યાભ્ભો નિયમાર્થઃ ॥ ૧/૨ ॥ ન્યાયાર્થે મંજૂષા ન્યાયાર્થ :- જ્યારે (સામાન્યથી) કોઈક કાર્યનું વિધાન કર્યા પછી ફરી (વિશેષથી) તે જ કાર્યનું વિધાન કરેલું જણાતું હોય, ત્યારે તે વિધાન નિયમ માટે છે, એમ સમજવું. પ્રયોજન : - અન્ય સૂત્રથી સિદ્ધ એવા જ વિધિના વિધાન માટે કરાતાં સૂત્રના નિરાર્થકપણાની શંકા ને દૂર કરવા માટે આ ન્યાય છે. અર્થાત્ સિદ્ધ - વિધિનું જ વિધાન કરવા છતાં તેવા સૂત્રને નિરર્થક ન કહેવું, એમ જણાવવા માટે આ ન્યાયનો ઉપયોગ થાય છે. ઉદાહરણ :- ૬ડ્ડી । વગેરેમાં નિ રીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી રૂ નો દીર્ઘ આદેશ સિદ્ધ હોવા છતાંય ફન્જીન્યૂષાર્થ: શિસ્યો: (૧-૪-૮૭) સૂત્રનો આરંભ કરેલો છે, તે નિયમને માટે જ થાય છે. અને નિયમ આ પ્રમાણે થાય છે કે “ન્ અંતવાળા વગેરે સૂત્રમાં કહેલ 'નામોનો શિ (નપું. પ્રથમા દ્વિતીયા બ.વ.) અને સિ (પુ.એ.વ.) રૂપી છુટ્ પ્રત્યય પર છતાં પૂર્વનો સ્વર દીર્ઘ થાય, પણ અન્ય ટ્ પ્રત્યય ૫૨ છતાં દીર્ઘ થાય નહી.” તેથી ગ્ડી । વગેરેમાં સ્વરનો દીર્ઘ આદેશ થાય છે, પણ ડિનૌ । ઇત્યાદિ સ્થળે નિ વીર્ય: સૂત્રથી પણ દીર્ઘ આદેશ થતો નથી. - હન્ જ્ઞાપક :- આ ન્યાયનું પ્રભાસક = જ્ઞાપક છે, ત્ત્તપૂરા ૦ (૧-૪-૮૭) સૂત્રની રચના જ. તે આ પ્રમાણે જો આ ન્યાય ન હોત તો ન્હ ૦ (૧-૪-૮૭) સૂત્ર, એ વિધિસૂત્ર જ બને અને તેથી આ સૂત્રની રચના કરવી ઉચિત ન થાય, કારણ કે આ સૂત્રથી જે સિદ્ધ કરવાનું છે, તે નિ રીર્થ: (૧-૪-૮૫) સૂત્રથી જ સિદ્ધ છે. તો પણ જે આ સૂત્રની રચના કરેલી છે, તે આ ન્યાયથી આ નિયમસૂત્ર બની જશે, એવી બુદ્ધિથી કરી છે. અર્થાત્ આ ન્યાય વિના હત્ત્વપૂષા૦ (૧-૪-૮૭) સૂત્રની રચના નિરર્થક બની જતી હોવાથી, એટલે કે આ ન્યાયથી જ (૧-૪-૮૭) સૂત્રરચના સાર્થક બનતી હોયને, તે આ ન્યાયને જણાવે છે. અનિત્યતા :- આ ન્યાય અનિશ્ચિત = અનિત્ય છે. માટે જૂનાં ગર્રતીતિ પૂનાર્દ: । વગેરે પ્રયોગો, તિહામ્યિ: (૫-૧-૫૦) સૂત્રથી અવ્ પ્રત્યય પર છતાં જ સિદ્ધ થઈ જતાં હોવા છતાંય, તેની સિદ્ધ માટે જ ગોંડર્ (૫-૧-૯૧) ઇત્યાદિ ૬ સૂત્રોનો આરંભ કરેલો છે, તે તિહાવિ ગણના વિસ્તાર A. માટે જ કરેલો છે, પણ નિયમ માટે નહિ. આમ, સિદ્ધ હોવા છતાંય જે અપ્ પ્રત્યયવિધિનો આરંભ છે, તે એ નિયમ માટે નથી, કિંતુ, વિસ્તાર માટે છે, એ આ ન્યાય અનિત્ય બનેલો માનવાથી જ ઘટતું હોયને તે આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. (૧/૨૫) - ૨૧૬ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy