SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. યોજનાનું નિયમન કરવું એ આ ન્યાયનું પ્રયોજન છે. ઉદાહરણ :- ૩૬સ્ત્રોવંતી (૧-૪-૬) સૂત્રમાં કેડસ્યો: એ સ્થાની બોધક પદમાં સ્થાની અને યાૌ પદમાં આદેશો બે બે સંખ્યાવાળા રૂપે હોયને સમાન હોવાથી અને બન્નેય પદો દ્વિવચનથી નિર્દિષ્ટ હોવા રૂપે સમાન (વચનવાળા) હોવાથી યથાસંખ્ય = સંખ્યા પ્રમાણે જ યોજના (સંબંધ) સિદ્ધ થઈ. અર્થાત્ કે (ચતુર્થી - એ.વ.) પ્રત્યયનો ય આદેશ થાય અને હસિ (પંચમી - એ. વ.) પ્રત્યયનો આત્ આદેશ થાય છે. જો આ ન્યાય ન હોય તો ડે, ત્તિ સાથે પ્રત્યેક ન્ય, આત્ આદેશની યોજના (સંબંધ) થાત. આથી બેય સ્થાનીના બેય આદેશ થાય આવી પણ કોઈને શંકા થઈ શકે છે. કારણ કે નિષેધ કરનાર અન્ય કોઈ ન્યાય નથી. આમ ઉક્ત શંકા આ ન્યાય હોવાથી ટકી શકતી નથી. પ્રશ્ન :- વચન અને સંખ્યા સમાન હોય તો જ ક્રમ પ્રમાણે યોજના શા માટે ? વચન અને સંખ્યા સમાન ન હોય તો ક્રમસર સંબંધ ન થાય ? ઉત્તર :- ના, નમસ્ફુરતો તેઃ વર્ણિ : સ: (૨-૩-૧) સૂત્રમાં નમસ્ પુર્ નો રૂપણ્ ની સાથે સમાન વચન વડે નિર્દેશ હોવા છતાં પણ સંખ્યાથી તુલ્ય નથીં. કેમકે આદેશી સ્થાની નમસ્‚ પુરસ્ એમ બે છે. જ્યારે નિમિત્તો જ - વ - ૬ - હ્ર એમ ચાર છે. માટે ક્રમસર સંબંધ ન થાય, પણ ઈચ્છા પ્રમાણે જ યોજના થાય. (અર્થાત્ પ્રત્યેક સ્થાનીનો પ્રત્યેક નિમિત્તની સાથે યથાયોગ્ય સંબંધ થાય.) = તથા તૌ મુમો વ્યગ્નને સ્વૌ (૧-૩-૧૪) અહિ મુ આગમ અને મારી એ બેની - પૂર્વથી અનુવર્તતાં એવા અનુસ્વાર અને અનુનાસિક સાથે સંખ્યા વડે સમાનતા છે, કિન્તુ, વચનથી સમાનતા નથી. મુ: એમ (ષષ્ઠી) એકવચન છે, જ્યારે અનુસ્વારાનુનાસિૌ એમ દ્વિ વચન છે. આથી પણ તેઓની ક્રમ પ્રમાણે યોજના ન થાય. – જ્ઞાપક ઃ- આ ન્યાયનું સંવાદક = જ્ઞાપક છે, પછ -ટ્ય તથે એવા લઘુસૂત્રથી જ ચાલી જવા છતાં ઘટતે સદ્વિતીયે (૧-૨-૭) એમ ગુરુસૂત્ર કરવું. આવું ગુરુસૂત્ર ‘પૂર્વસૂત્રથી અનુવર્તતાં શ ષ સ રૂપ આદેશનો આ ન્યાયથી ૬ ટ તે (નિમિત્ત)ની સાથે સંખ્યા પ્રમાણે સંબધ (યોજના) ક૨વો' એમ જ્ઞાપન કરવા માટે કરેલું છે. જો પછતાથે એવું સૂત્ર કરાય તો પૂર્વોક્ત યથાસંખ્ય સંબંધ યોજના ન થઈ શકત. કારણ કે સ્થાની શ ષ સ એમ ત્રણ જ છે. જ્યારે નિમિત્ત છ (૬) બની જાય છે. હવે વચ્ચે દ્વિતીયે એવું ગુરુસૂત્ર કરવાથી આ ન્યાયથી સ્થાની શ ષ સ અને નિમિત્ત ૬ ટ 7 એમ ૩-૩ હોવાથી યથાસંખ્ય સંબંધ થઈ શકશે. આમ ઘટતે સદ્વિતીયે એવું ગુરુસૂત્ર કરવું તે આ ન્યાયના આશ્રયથી જ સંગત થતું હોવાથી તે આ ન્યાયને જણાવે છે. = અનિત્યતા :- આ ન્યાય વ્યભિચારી અર્થાત્ અનિત્ય છે. આથી જ મુનિપત્યાદ્રિષ્ય: માંપાવાને (૫-૩-૧૨૮) સૂત્રમાં વચનની સમાનતા ન હોવા છતાં ય સંખ્યા પ્રમાણે જ યોજના કરી છે. બીજી રીતે અનિત્યતા કહીએ તો અર્થાત્ સમાન વચન સંખ્યા છતાં ૧૭૨ -
SR No.005716
Book TitleNyaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2001
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy