SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું, મળેલા મનુષ્યજન્મનો સદુપયોગ કરી લેવાનું જણાવ્યું પરંતુ મનુષ્યપણું મેળવવાનો ઉપદેશ નથી આપ્યો. મનુષ્યપણું મળે એટલે મોક્ષ મળે જ – એવો નિયમ નથી. સંસારમાં અનન્તા ભવો સુધી રખડવા માટે પણ આ મનુષ્યપણું કામ લાગે છે. નરકાદિ દુર્ગતિમાં જવાનો મસાલો ખૂટે ત્યારે તેને ભેગો કરવા માટે ઘણા જીવો મનુષ્યપણામાં આવતા હોય છે. માટે મનુષ્યગતિ પણ દુર્ગતિ છે. આ સંસારમાં ચાર ગતિમાંથી એકે ગતિમાં સ્થિર રહી શકાય એવું નથી, માટે પાંચમી ગતિમાં જવું છે. ત્યાં જવા માટેની સાધનાની અનુકૂળતા માત્ર મનુષ્યજન્મમાં જ મળે છે – એટલા પૂરતો મનુષ્યજન્મ ઉપાદેય છે. મોક્ષનું કારણ બનાવતાં આવડે તો મનુષ્યજન્મ સારે. મનુષ્યગતિ કે દેવગતિ શુભગતિ છે, પુણ્યપ્રકૃતિ છે માટે સારી નથી. પુણ્ય પણ તે સારું કે જે ક્રમે કરી મોક્ષે પહોંચાડે. જે મોક્ષે જતાં અટકાવે તે પુણ્ય સારું નહિ, જે મોક્ષે પહોંચાડે તે પાપ પણ સારું. પુણ્યપ્રકૃતિનો ઉદય સંસારમાં રખડાવતો હોય અને પાપપ્રકૃતિનો ઉદય મોક્ષે પહોંચાડતો હોય તો કોની પસંદગી કરો ? નરકગતિમાં સમ્યકત્વ મળતું હોય એ સારું કે દેવગતિમાં મિથ્યાત્વ હોય એ ચાલશે? સમ્યકત્વ જો મળતું હોય તો નરકગતિ ચાલશે, દેશથી પણ વિરતિ મળતી હોય તો તિર્યંચગતિ ચાલશે પરંતુ મિથ્યાત્વમાં સબડવું પડે એવો દેવલોક નથી જોઈતો : આટલું બોલી શકો ? તમે ભગવાનની આગળ બોલો છોને કે - નિનવનિર્મો મા પુર્વ . ચાં વેટોડપિ વિદ્રોડપિ વિનધર્માધિવાસિત: // શ્રી જિનેશ્વર ભગવાના ધર્મથી રહિત ચક્રવર્તીપણું પણ મારે નથી જોઈતું. ભલે દરિદ્ર બનું કે દાસ બનું પરંતુ જિનધર્મથી વાસિત હોઉં તો મારે કાંઈ ચિંતા નથી. તેમ અહીં પણ કહેવું છે કે દીક્ષા અપાવે એવું રંકપણું ચાલશે પણ દીક્ષા ન મળે એવું રાજાપણું નથી જોઈતું. શ્રી સંપ્રતિ મહારાજાને રંકના ભવમાં દીક્ષા મળી અને રાજાના ભવમાં દીક્ષા ન મળી : કયો ભવ સારો ગણાય ? સંપ્રતિ મહારાજાના ભવમાં જાતિસ્મરણશાન થયું પણ દીક્ષા ન મળી. શ્રી મૃગાપુત્રને જાતિસ્મરણજ્ઞાન થયું તો તરત દીક્ષા લઈને નીકળી પડ્યા. માતાએ કહ્યું કે દીક્ષામાં દુઃખનો પાર નથી અને તારી કાયા તો સુકુમાલ છે. ત્યારે શ્રી મૃગાપુત્ર કહે છે કે આ સંસારમાં દુઃખનો પાર નથી. અત્યાર સુધી દીક્ષા કરતાં અનન્તગુણી વેદના નરકાદિમાં અનન્તી વાર સાક્ષાત્ ભોગવી આવ્યો છું. આથી હવે એ દુઃખનો ડર કાંઈ સતાવતો નથી. હવે તો આ સંસાર જ ન જોઈએ.... એમ કહીને ચાલી નીકળ્યા. આમ શ્રી મૃગાપુત્રજી જાતિસ્મરણ જ્ઞાનથી દીક્ષા પામ્યા પણ શ્રી સંપ્રતિ મહારાજા જાતિસ્મરણશાન થવા છતાં ચારિત્ર ન પામી શક્યા. ચારિત્ર પ્રત્યે (૧૭)
SR No.005712
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy