SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા વિનાનું શુદ્ધ દર્શન જ ખૂબ મહત્ત્વનું છે. દર્શનાચાર એટલે સત્યને પકડવાની દૃષ્ટિ. જ્યાં સુધી દૃષ્ટિમાં રાગ અને દ્વેષ હોય ત્યાં સુધી સત્ય ન પકડાય. રાગ અને દ્વેષ જેટલા પાતળા પડે એટલું દર્શન શુદ્ધ થાય. આગમોમાં કહેવાયું છે કે નાદંસણિસ્સ નાણું – જેને દર્શન નથી, શ્રદ્ધા નથી, પ્રત્યક્ષ પ્રતીતિ નથી તેને જ્ઞાન નથી અને જ્ઞાન પછી સામાન્ય રીતે ચારિત્ર આવે છે. જ્ઞાન સહિત જે ચારિત્રમાં ઊતરે છે તે ઘણું પ્રબળ હોય છે, તેથી તો દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે. ૧૦ જ્ઞાનાચાર : સમ્યક્ જ્ઞાન એટલે માહિતી નહીં. જ્ઞાન એટલે બોધ. જે જ્ઞાનથી જગતમાં શું જાણવા જેવું છે, શું મેળવવા જેવું છે અને શું છોડવા જેવું છે તે સમજાઈ જાય તે બોધ. એ જ સમ્ય-જ્ઞાન. જે જ્ઞાનથી બોધ ન થાય એ ફક્ત માહિતી છે. એવા જ્ઞાનથી કદાચ ભૌતિક સમૃદ્ધિ મળી રહે પણ તે આત્માને ઉપકારક ન નીવડે. બોધ મેળવવા જે પ્રવૃત્તિ થાય તે જ્ઞાનાચાર. જૈન ધર્મમાં જ્ઞાનાચારને ખૂબ મહત્ત્વનો ગણ્યો છે, કારણ કે વસ્તુને સાચા સ્વરૂપમાં જાણ્યા વિના તેની પ્રાપ્તિ માટે કે તેને છોડવા માટે પ્રવૃત્તિ ન થાય. શ્રાવક હોય કે મુનિ હોય તેણે જ્ઞાનાચાર માટે હંમેશાં પ્રવૃત્તિ કરતાં રહેવું જોઈએ. આવો જ્ઞાનાચાર જ જીવનું ઉત્થાન કે અભ્યુદય કરી શકે. આવું જ્ઞાન પુસ્તકોમાંથી મળે, સાધુ ભગવંતોના વ્યાખ્યાનોનાં શ્રવણમાંથી મળે, ચિંતનથી પણ મળે. જ્ઞાનીઓ સાથેના વાર્તાલાપ કે તેમની સુશ્રૂષાથી પણ મળે. આ જ્ઞાન મેળવવા માટે જીવે સતત
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy