SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ જો આપણે દર્શનને તેના યોગ્ય સ્વરૂપમાં - યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી લઈશું તો સહજ રીતે તેની અંતર્ગત રહેલી શ્રદ્ધાની વાત આવી જ જાય છે. અને તે સાચવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, કેવી કાળજી લેવી જોઈએ, એ બાબતો તેની અંદર સમાઈ જાય છે. સંસારના સ્વરૂપનું રાગ-દ્વેષ વિનાનું દર્શન તે જ વાસ્તવિકતામાં દર્શનાચાર છે. દેવ-દર્શન ઇત્યાદિ તેની પ્રાપ્તિ માટે છે. આવું દર્શન સ્વાભાવિક રીતે શ્રદ્ધાનું જનક બની રહે છે. આવા અમૂલ્ય દર્શનની પ્રાપ્તિ પછી તેની રખેવાળી કરવાનું સહેજેય મન થાય અને તેને દઢ કરવા પ્રયાસ થઈ જાય. દર્શનાચાર એ દ્રષ્ટાભાવ છે - સાક્ષીભાવ છે. . કહેવાય છે કે દંસણમૂલો ધો. ધર્મનું મૂળ દર્શન છે. સામાન્ય રીતે આપણને દર્શન કરતાં નથી આવડતું. આપણા દર્શનમાં અતીત અને ભાવિ બંને ભળી જાય છે, જેથી આપણે વર્તમાનનો પૂરો લાભ લઈ શકતા નથી. ભૂતકાળમાંથી બોધ લીધા પછી ભૂતકાળને ભોંયમાં ભંડારી દેવાનો છે. આપણી સંભાવનાને – ભાવિ શક્યતાને - કેવી રીતે પ્રગટ કરવી તે વિચારવા માટે ભવિષ્યનો વિચાર કરવાનો છે. પણ ભાવિને પકડી રાખવાનું નથી. ભાવિને પકડી રાખવું એટલે કલ્પનાનો વિહાર જે ક્યાંય ન પહોંચાડે. સાધવાનો છે વર્તમાન અને તે વાત આપણે મોટે ભાગે ચૂકી જઈએ છીએ. ભૂતકાળ અને ભવિષ્ય બંને ઉપર નજર નાખી લીધા પછી જેનું દર્શન વર્તમાન ઉપર ટકી રહે છે તે જ સફળ થાય છે. કેવળ વર્તમાનનો પુરુષાર્થ જ સિદ્ધિ તરફ લઈ જાય છે.' સાધનાપથ ઉપર આમ અતીત અને અનાગતથી અશુદ્ધ થયા
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy