SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આચાર મીમાંસા તેમ એકત્રિત કરેલી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવામાં આવે તો તેનું અપૂર્વ પરિણામ આવે. આ યોગ્ય માર્ગ એટલે સામાન્ય રીતે નીચેની તરફ વહેતી ઊર્જાને ઉપર તરફ વાળવી, જેને ઊર્જાનું ઊર્ધ્વરોહણ કહે છે. આપણી જીવનશક્તિને કામ કેન્દ્ર તરફ વહી જતાં રોકીને ઉપર તરફ વાળવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલાં સૂક્ષ્મ કેન્દ્રો, જેને યોગની ભાષામાં ચકો કહે છે, તેને ભેદીને છેક ઉપર મસ્તકમાં આવેલા સહસાર ચકમાં સ્થિત થઈ જાય છે. આ પ્રક્રિયાને કુંડલિની યોગ પણ કહેવામાં આવે છે. આ અવસ્થા પરમ આનંદની અવસ્થા છે - પરમ સત્યની પ્રાપ્તિની અવસ્થા છે. આપણા શરીરમાં છ સૂમ કેન્દ્રો - ચકો માનવામાં આવે છે. નીચેથી શરૂ કરીને ઉપરની તરફ જઈએ તો પ્રથમ મૂલાધાર, બીજું સ્વાધિષ્ઠાન, ત્રીજું મણિપુર, ચોથું અનાહત, પાંચમું વિશુદ્ધિ, છઠું આજ્ઞાચક જે બે ભ્રમરોની મધ્યે આવેલું છે. ઊધ્વરોહણ કરતી જીવનશક્તિ જ્યારે આજ્ઞાચકને ભેદીને મસ્તકની છેક ટોચ ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રમાં સ્થિત થઈ જાય છે ત્યારે સાધકને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આપણે ત્યાં જેને કેવળ જ્ઞાન કહે છે તે કદાચ આ જ અવસ્થા છે. પ્રાપ્તિ એક છે પણ માર્ગ ભિન્ન છે. કષાયોનો ક્ષય થતો જાય તેમ તેમ ઉપરનાં ચકો ખૂલતાં જાય કે ચકો ખૂલતાં જાય તેમ કષાયોનો ક્ષય થતો જાય છે. મૂળ વાત છે પરમાત્મ અવસ્થા પ્રાપ્ત કરવાની. પરમાત્મ અવસ્થા એટલે ઊર્જનો અખૂટ ભંડાર જેને આપણે અનંત વીર્ય પણ કહીએ છીએ. આપણાં ધાર્મિક અનુષ્ઠાનો ઊર્જાનું ઉધ્વરોહણ કરનારાં છે.
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy