SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ વ્રત વિશેષ - ગુણપ્રાપ્તિ પ્રતિ ચાલ્યા કરે છે. કોઈ માણસ મકાન બાંધે અને પછી તોડી નાખે; કોઈ મહેનત-મજૂરી કરી પૈસા પેદા કરે, પછી તે ભેગા કરે અને સાંજે જઈને કૂવામાં ફેંકી દે તો આપણે તેને શું કહીએ ? પ્રવૃત્તિ શાણપણ ભરેલી તો ન જ કહેવાય ને ! પણ ખરેખર તો જીવનભર આપણે આમ જ કર્યા કરીએ છીએ. ખૂબ વિચિત્ર વાત છે પણ તે સત્ય છે અને આપણા જ જીવનની કહાણી છે. બ્રહ્મચર્ય વ્રતમાં આ વિષચક્રને તોડીને બહાર આવી પરમ આનંદની ઉપલબ્ધિની વાત છે. જો આઠ-દસ કલાકની નિદ્રા દરમિયાન એકત્રિત કરેલી ઊર્જા આપણને આટલા પ્રફુલ્લિત રાખતી હોય તો જીવનભર એકઠી કરેલી ઊર્જા કેટલી બધી પ્રસન્નતા આપે જીવનભર પેદા કરેલી ઊર્જાનો અલ્પ વ્યય કરીએ અને સંચય કર્યા કરીએ તો આપણને અનહદ આનંદ આવે અને શરીર ર્તિથી ભરાઈ જાય. કામના માત્ર ઊર્જાનો વ્યય કરે છે પણ કામ-સેક્સ ઊર્જાના વહેવાનું નિમ્નતર દ્વાર છે જ્યાંથી ઊર્જ - જીવનશક્તિ ધોધમાર વહી જાય છે. તેથી તેને રોકવાનો આ વ્રતમાં ખાસ આગ્રહ રખાય છે. પણ આ વ્રતમાં આટલી જ વાત નથી. કામના માત્રનો સંયમ કરવાનો છે. મનવચન અને કાયાના યોગોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ આ વ્રતનું હાર્દ છે. આપણે ત્યાં સાધુને “મુનિ' કહે છે તે ખૂબ સૂચક છે. મુનિ એટલે જેના ઇન્દ્રિયોના બધા વ્યાપારો મૌન થઈ ગયા છે, મન-વચન અને કાયાના યોગો શાન્ત થઈ ગયા છે એટલે કે અલ્પ બની રહ્યા છે. ' ધન એકઠું કરીએ પણ જ્યારે તેનું દાન દેવાય ત્યારે તે દીપી ઊઠે.
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy