SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૭૮ • • • • • • • • • અભ્યાds ! . . . . . . . . . . . . . . . . . .365 ટીકાર્ય - અર્થશે – વિશે નિને એ પ્રકારના સૂત્ર પછી “ત્તિ' એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્ર ૯/૧૧માં અધ્યાહાર સમજવું, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે એમ ન કહેવું. તેમાં હેતુ આપે છેસ્વામીપણાની ચિંતાના અવસરમાં આનું સતિ' અધ્યાહારનું, વિપરીત વ્યાખ્યાનપણું છે. નિ' આનાથી અર્થાત્ સ્વામીપણાની ચિંતાના અવસરમાં “ સન્તિ' એ અધ્યાહાર ન થઈ શકે એમ કહ્યું, આનાથી, “પાવશ' નો સમાસ અનાધિ વશ ' આ પ્રમાણે ખોલવો, એ પણ અપવ્યાખ્યાન જણાવાયું. ' - અને આ રીતેસ્વામિત્વની ચિંતાના અવસરમાં આ અપવ્યાખ્યાન છે આ રીતે, વેદનીયકર્મ હોવાથી અગિયાર પરીષહો જિનમાં છે અને મોહના અભાવથી નથી, એ પ્રમાણે અસમર્થનો દુરાગ્રહ પણ નિરસ્ત જાણવો. અર્થાત આ સૂત્રનો સમ્યમ્ અર્થ કરવા અસમર્થ એવા તેનો દુરાગ્રહ નિરસ્ત જાણવો. ન સન્તિ વા' અહીં “વા' કાર છે તે વાર' અર્થક છે. ભાવાર્થ -“સ્વામિત્વ' તત્ત્વાર્થમાં તે સૂત્રોથી સ્વામિત્વની ચિંતાનો અવસર છે. આથી જ તત્ત્વાર્થમાં વિશ નિને (૧-૨૨) સૂત્રની પૂર્વનાં સૂત્રોમાં પરીષહના સ્વામી કોણ કોણ છે તે બતાવ્યું છે તે અવસરમાં પરીષદના સ્વામીનું કથન સંભવે, પરંતુ જિનમાં એકાદશ=અગિયાર પરીષહ નથી આ પ્રમાણે “સત્તિને અધ્યાહાર કરીને અર્થઘટન કરવું, તે વિપરીત વ્યાખ્યાન છે, એ પ્રમાણે ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે. નાધિa' – આનાથી કોઈ પાલા' શબ્દનો સમાસ અન્ય રીતે ખોલે છે તે પણ અપવ્યાખ્યાન છે, એમ જાણવું. ત્યાં તે સમાસ આ રીતે ખોલે છે – “પાવા' શબ્દનો પા' અને “અવશ' એ રીતે વિભાગ કરીને ''નો અર્થ ' કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે એકથી અધિક દશ નથી. આ રીતે કહેવાથી રસનિ' અધ્યાહાર કહેવાની જરૂર રહેતી નથી, અને “વિશ નિને' એ સૂત્રથી જ જિનમાં અગિયાર પરીષણો નથી એ પ્રમાણે પૂર્વપક્ષીનું કહેવું છે; પરંતુ સ્વામિત્વના વિચારમાં આ પ્રમાણે અર્થ કરવો તે અપવ્યાખ્યાન છે, એમ ગ્રંથકાર કહે : ‘યંત્ર' અને આ રીતે-પૂર્વમાં કહ્યું કે સ્વામિત્વના અવસરમાં આ વ્યાખ્યાન વિપરીત વ્યાખ્યાન છે એ રીતે, કોઈ કહે કે જિનમાં વેદનીયકર્મનું સત્ત્વપણું હોવાને કારણે અગિયાર પરીષહ છે અને મોહના અભાવને કારણે (પરીષહ) નથી, એ પ્રમાણે અસમર્થનો દુરાગ્રહ પણ નિરસ્ત જાણવો, અર્થાત્ આ સૂત્રનો સમ્યમ્ અર્થ કરવા જે અસમર્થ છે તેનો દુરાગ્રહ નિરસ્ત જાણવો. પૂર્વપક્ષીને એ કહેવું છે કે કેવલીમાં વેદનીયકર્મનો ઉદય છે તેના કારણે પરીષણો હોવા જોઇએ, પરંતુ પરીષહની પ્રાપ્તિમાં જેમ વેદનીયકર્મ આવશ્યક છે તેમ મોહનીયકર્મ પણ આવશ્યક છે, માટે મોહના અભાવના કારણે તેમનામાં તે પરીષહો નથી; કેમ કે પરીષહ પ્રતિ વેદનીયકર્મ અને મોહનીયકર્મ ઉભયની સત્તા દિગંબરના મંતવ્ય પ્રમાણે આવશ્યક છે. આ પ્રકારનો સૂત્રનો અર્થ કરવામાં પૂર્વપક્ષી પોતાની અસમર્થતાને જ ઘોતન કરે છે, કેમ કે આવો અર્થ સૂત્રથી પ્રાપ્ત થઈ શકે નહિ. આ રીતે પોતે અર્થ કરવામાં અસમર્થ હોવા છતાં, કેવલીમાં પરીષહ નથી એમ કહે છે, તે તેમનો દુરાગ્રહ છે. તેથી ગમે તે રીતે કેવલીમાં પરીષહના અભાવની સિદ્ધિ માટે તેમનો આ યત્ન છે અને તે “સ્વામિત્વની ચિંતાના=વિચારણાના, અવસરમાં આ વિપરીત વ્યાખ્યાન છે” એ કથનથી ' નિરસ્ત થઇ જાય છે. A-3
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy