SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ?? . . . . . . . . . . . . . . . . . .અભ્યાભમતપરીક્ષા , • • • • • • • • • • • • • • • • • :: ::::::: • • • • • • • • • • • • • • ગાથા ૭૮ તેઓના પ્રત્યે આ પ્રમાણે ઉપદેશ આપવા યોગ્ય છે, તે નથી ગ્રંથકાર કહે છે- “વિશ નિને' – જિનમાં અગિયાર પરીષહો છે, એ પ્રમાણે ઉભયનું શ્વેતાંબર-દિગંબર ઉભયનું, તત્ત્વાર્થસૂત્ર ૯/૧૧ છે. ‘તથા'થી પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલ છે તે બતાવે છે હે ભગવંત! એકવિધબંધકસયોગી ભવસ્થકેવલીને કેટલા પરીષહો કહેલા છે? હે ગૌતમ! અગિયાર પરીષહો કહેલા છે, વળી નવ પરીષહ વેદે છે, એ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્ર જિનમાં અગિયાર પરીષહોને પ્રતિપાદન કરે છે. અને તે સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શય્યા, રોગ અને તૃણસ્પર્શ લક્ષણ છે. પૂર્વમાં જિનના પરીષહો બતાવ્યા તેની સાક્ષી આપતાં કહે છે કે તે વાત શાસ્ત્રમાં કહેવાયેલ છે. . સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શવ્યા, રોગ, તૃણસ્પર્શ જિનમાં છે; કેમ કે વેદનીયકર્મનો સંભવ છે. રૂતિ' – ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. તથા' - તથા હે ભગવંત! વેદનીયકર્મમાં કેટલા પરીષહો સમવતાર પામે છે? હે ગૌતમ! અગિયાર પરીષહો (વેદનીયકર્મમાં) સમવતાર પામે છે. આનુપૂર્વીથી સુધાદિ પાંચ, ચર્યા, શય્યા, વધ અને રોગ, તૃણસ્પર્શ અને મલ, આ અગિયાર પરીષહો જ વેદનીયકર્મમાં સમાવતરે છે. ‘તથા ' – અને તે પ્રમાણે અર્થાત્ તત્ત્વાર્થસૂત્ર અને પ્રજ્ઞપ્તિસૂત્રમાં જિનમાં આ પરીષહો કહ્યા છે, તે પ્રમાણે, સહવા માટે યોગ્ય ક્ષુધાતૃષાદિની સાથે ક્ષાયિક સુખ કેવી રીતે રહી શકે? અર્થાત્ ન રહી શકે. ભાવાર્થ-‘આધ્યાત્મિ-આધ્યાત્મિક સ્વરસથી જ દિગંબરશાસ્ત્રને કાંઇક પ્રમાણપણા વડે કરીને સ્વીકારે છે અને શ્વેતાંબરશાસ્ત્રને સંવાદકપણા વડે કરીને સ્વીકારે છે. તેનું તાત્પર્ય એ છે કે આધ્યાત્મિકી નિશ્ચયપ્રધાન દિગંબરનાં સર્વ શાસ્ત્રોનું પ્રમાણરૂપે માને છે, તેથી સ્વરસથી જ કિંચિત્ પ્રમાણપણા વડે કરીને માને છે તેમ કહ્યું છે; જ્યારે દિગંબરોનાં વ્યવહારશાસ્ત્રોને તેઓ મહત્ત્વ આપતા નથી, અને દિગંબરના શાસ્ત્ર પ્રમાણે પોતાના કથનમાં જે શ્વેતાંબરનાં શાસ્ત્રો સંવાદક છે તેને તે માને છે. એથી કરીને તે આધ્યાત્મિક પ્રતિ ઉભયનો પણ ઉપદેશ ઘટે છે, અર્થાત્ દિગંબરશાસ્ત્રનો ઉપદેશ તો ઘટે જ છે, પરંતુ ઉભયને દિગંબર-શ્વેતાંબરને, માન્ય એવો ઉપદેશ પણ ઘટે ઉત્થાન :- પૂર્વમાં ગ્રંથકારે તત્ત્વાર્થસૂત્રની સાક્ષી આપીને આધ્યાત્મિકોને સિદ્ધ કરી આપ્યું કે, કેવલીને સુધાદિ પરીષહ છે તેથી કેવલી કવલભોજી છે. તે સૂત્રનો અર્થ કેવલીને કવલભોજી સ્વીકારવાની આપત્તિ ન આવે તે રીતે પૂર્વપક્ષી કરે છે, તે અથ'થી બતાવીને નિરાકરણ કરે છે ટીકા - બૈજાત્યાન્તર ‘સન્તિ' રૂધ્યાહર્તવ્યનિતિ વે? , સ્વામિત્વાન્તાવારે હતી विपरीतव्याख्यानत्वात्। एतेन एकेनाधिका दश न' इत्यप्यपव्याख्यानमावेदितम्। इत्थं च एकादश जिने सन्ति वेदनीयसत्त्वात्, न सन्ति वा, मोहाभावात्' इत्यसमर्थदुराग्रहोऽपि निरस्तः।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy