SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ધત્તના અપવર્તનાકરણ સારસંગ્રહ ૪૮૫ અપવર્તનામાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત અનુભાગ સ્પર્ધકો અનંત હોવા છતાં હવે પછી બતાવાતા અનુભાગની અપેક્ષાએ અલ્પ છે, તેથી જઘન્ય અતીસ્થાપનાગત અનુભાગ સ્પÁકો અનંતગુણ. તેનાથી એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ કંડકરૂપ અતીત્થાપનાગત અનુભાગ સ્પર્ધકો અનંતગુણ, તેથી ઉત્કૃષ્ટ કંડકગત અનુભાગ વિશેષાધિક, તેથી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ સ્પર્છકો વિશેષાધિક અને તેથી પણ સત્તાગત સર્વ અનુભાગ વિશેષાધિક છે. ઉદ્ધત્તના અને અપવર્ઝના આશ્રયી અનુભાગનું સંયુક્ત અલ્પ-બહુત્વ કોઈ પણ એક સ્થિતિસ્થાનની અંદર અનંત રસસ્પÁકો હોય છે. તેમાં પ્રથમ સ્પÁક, ઓછા રસવાળું હોય છે. અને ત્યારબાદ ચરમ સ્પર્ધ્વક સુધીના ઉત્તરોત્તર દરેક સ્પર્ધ્વકો અધિક અધિક રસવાળાં હોય છે. તેમજ થોડા થોડા રસવાળા પરમાણુઓ ઘણા ઘણા અને અધિક અધિક રસવાળા પરમાણુઓ ઓછા ઓછા હોય છે તેથી એક સ્થિતિગત અનંત રસસ્પÁકોને લાઇનસર ગોઠવીએ તો સર્વ જઘન્ય રસ સ્પર્ધ્વકમાં પરમાણુઓ ઘણો હોય છે. અને પછી પછીના સ્પર્ધકમાં પરમાણુઓ ઓછા ઓછા હોય છે, તેથી સર્વ જઘન્ય પ્રથમ રસસ્પર્ધ્વકના પરમાણુઓની અપેક્ષાએ અમુક સ્પર્ધ્વકો પછીના સ્પર્ધકોમાં પરમાણુઓ અર્ધા થઈ જાય છે. તે એક દ્વિગુણહાનિ કહેવાય છે. આ દ્વિગુણહાનિની મધ્યમાં રહેલ સ્પÁકો હવે પછીના અનુભાગની અપેક્ષાએ ઘણા જ અલ્પ છે. અથવા સ્નેહ પ્રત્યય સ્પÁકમાં જે વર્ગણાના પરમાણુઓની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓ ઓળંગ્યા પછીની વર્ગણામાં પરમાણુઓ અર્ધા થાય છે. તે પણ એક દ્વિગુણહાનિ કહેવાય છે. તે દ્વિગુણહાનિની વચ્ચે રહેલ સ્નેહરૂપી રસનો સમૂહ થોડો હોય છે. તે થકી ઉદ્ધત્તના અને અપવર્ત્તના એ બન્નેમાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. જો કે ઉદ્ધત્તેનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિગત સ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે અને અપવર્તનામાં સમયાધિક આવલિકાના ત્રીજા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ રસસ્પર્ધકો જઘન્ય નિક્ષેપના વિષયભૂત છે. છતાં ઉર્જાનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો ઘણાં ઉપરનાં હોય છે. અને ઉ૫૨ ઉપરનાં સ્થિતિસ્થાનોમાં અનુભાગ અધિક અધિક હોય છે. અને અપવર્તનાના નિક્ષેપભૂત સ્થિતિસ્થાનો શરૂઆતનાં છે. તેમજ શરૂઆતનાં સ્થિતિસ્થાનોમાં અનુભાગ ઓછોઓછો હોય છે. તેથી બન્નેમાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત સ્થિતિસ્થાનો સમાન ન હોવા છતાં અનુભાગ સમાન હોય છે. તે થકી વ્યાઘાત ઉદ્ધત્તેનામાં અને નિર્વ્યાઘાત અપવર્તનામાં જઘન્ય અતીસ્થાપના રૂપ અનુભાગ અનંતગુણ અને પરસ્પર બન્નેમાં તુલ્ય હોય છે. અહીં પણ ઉર્જાનામાં જઘન્ય અતીસ્થાપના આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને અપવર્તનામાં સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. છતાં જઘન્ય નિક્ષેપમાં બતાવેલ યુક્તિથી અનુભાગ સમાન હોય છે. તેથી વ્યાઘાત અપવર્તનામાં અતીત્થાપના એક સ્થિતિસ્થાન ન્યૂન કંડક પ્રમાણ સ્થિતિગત અનુભાગ હોવાથી વ્યાઘાતમાં ઉત્કૃષ્ટ અતીત્થાપનાગત અનુભાગ અનંતગુણ છે. તે થકી બન્નેમાં
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy