SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જગથી અક્ષર વડે (સૌના) લલાટે (નસીબના) લેખ લખાયા છે. (૧૫૯) પણ જેણે એ લેખ લખ્યા છે, તેને માથે કોઈ લેખ નથી. ૩૮ (૧૬૦) તે જેમ માર્વે તેમ જ બધું થાયર છે. (૧૬૧) જેટલી સૃષ્ટિ છે, તેટલું નામ' (વ્યાપેલું) છે. (૧૬૨) નામ વગરનું એકે સ્થાન નથી. (૧૬૩) તારી કુદરતને કોણ વર્ણવી શકે ? (૧૬૪) તને એક વાર પણ વારી જઈ શકતો નથી. (૧૬૫) તને જે ગમે તે ખરું! (૧૬૬) હે નિરાકાર (પરમાત્મા), તું સદા અવિનાશી છે! (૧૬૭) કડી ૧૬૦ : વિનિ પર્દિ ર્જ્યિ અર્થાત્ બધા જીવોને તો તેમનાં પૂર્વ કર્મોથી તેમને લલાટે જેવા લેખ લખાયા હોય તેવું અને તેટલું જ મળે છે; પણ પરમાત્માને તો તેવી કશી મર્યાદા નથી. તે તો જેમ ફરમાવે, તેમ બધું થાય છે. સરખાવો સોરઠુિં, મ૦ ૧, પૃ૦ ૫૯૮, ૧૧-૧ - सरब जीआ सिरि लेखु धुराहू, बिनु लेखै नही कोई जीउ । - आपि अलेखु कुदरत करि देखै, हुकमि चलाए सोई जीउ ॥ - બધા જીવોને લલાટે પ્રથમથી લેખ લખાયા હોય છે; એવા લેખ વિનાનો કોઈ જીવ નથી. પરંતુ પરમાત્મા પોતે કોઈ લેખ વિનાના છે; તે તો પોતાની માયા-શક્તિથી બધું સરજીને નિહાળે-સંભાળે છે; પોતાના હુકમથી જ બધું ચલાવે છે. ૧. વાજ્ઞિ – (સંસ્કૃત યાહ્યા) – વિગતે વર્ણવાયા છે. ૨. તિવ્ર તિય વાદિ — તેમ તેમ બધું મળે છે – ઉત્પન્ન થાય છે. ૩. નિતા – કરેલી-સર્જેલી (સૃષ્ટિ). ૪. પરમાત્માના નામને પરમાત્મા જેટલી જ મહત્તા અને વ્યાપકતા અર્પે છે. હવે પછીની પૌડીમાં જ નામથી બુદ્ધિનો મેલ કેવી રીતે ધોઈ શકાય છે, તે બેએક ઉપમાઓ આપીને, ભારપૂર્વક જણાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy