SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ जपुजी જપુછ १ ओंकार सतिनाम करतापुरखु निरभउ निरवैरु अकालमूरति अजूनी सैमें गुरप्रसादि ॥ जपु ॥ आदि सचु जुगादि सचु है भी सचु नानक होसी भी सचु ॥ અર્થ એક કાર, સાચું છે નામ જેમનું, જે આ સર્વ સૃષ્ટિના) કર્તાપુરુષ છે, (જેમના સિવાય બીજું કઈ ન હોવાથી) જે નિર્ભય છે, જે નિર્વેર છે, અકાલ જેમનું સ્વરૂપ છે, (બીજા કશામાંથી જેમની ઉત્પત્તિ ન હોઈ) જે અયોનિ છે, જે સ્વપ્રકાશ છે – – ગુરુની કૃપાથી તેમના નામનો) “જ૫ કરો! આદિથી તે સત્ય છે, આ યુગના પ્રારંભે તે સત્ય હતા, અત્યારે પણ સત્ય છે, અને તે નાનક, ભવિષ્યમાં પણ તે સત્ય હશે. ' ' આ શ્લોક શીખધર્મના દીક્ષામંત્ર જે કહી શકાય. તેની આખાની જપ-મંત્ર તરીકે માળા જપાય છે. “ગુરપ્રસાદિ’ સુધીના ભાગમાંથી આદિ-અંતના થોડા થોડા - ૧. “સાચું' એટલે કે સફળ છે, મનના દેશે અને ભ્રમ-અજ્ઞાનને દૂર કરનારું છે. ૨. અમૂરતિ | અર્થાત તે કાલરહિત - કાલથી પર છે, કાર્યકારણુ-ભાવની શૃંખલાથી બહાર છે. જેને કંઈ મેળવવાનું હોય, તે કાળમાં – કાર્યકારણભાવની શૃંખલામાં અટવાયેલ રહે. પણુ પરમાત્મા તો પૂર્ણ કામ છે. ૩. અનૂની – યોનિમાંથી – બીજા કશામાંથી – જેમની ઉત્પત્તિ નથી થઈ તેવા - સ્વયંભ. ૪. સૈમા સ્વયં + ભ = સ્વપ્રકાશ બીજા કેઈના પ્રકાશથી પ્રકાશિત નહિ એવા આત્મપ્રકાશ. પ્રકાશને અર્થ પણ ચૈતન્યપ્રકાશ સમજવો. ૫. પુરપ્રસારિ સરખા “અનંદુ” (મહલા ૩)-૮ ગુરપલાવી અને મા નરમઘુ-ગુરુની કૃપાથી મન નિર્મલ બન્યું; “અનંદુ”- ૩૫ કુરરિસરી હરિ નિ સિગા-ગુરુની કૃપાથી હરિ મનમાં આવીને વસ્યા. ૬. સૃષ્ટિ સરજાઈ ત્યારે. ૭. પ્રલય વખતે – સુષ્ટિ પાછી સંકેલાઈ જાય ત્યારે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy