SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જે નિશ્ચિત સમય આરાધના માટે નક્કી કર્યો હોય તે સમયે બીજા કોઈને એપોઈન્ટમેન્ટ આપવી નહી. કારણ કે તે સમયે પરમાત્માની સાથે એપાઈન્ટમેન્ટ અપાઈ ગયેલી 214 %. Appointment with Most High. આ રીતે અમુક ચોકકસ આસને અને મુદ્રાએ. ચક્કસ જગ્યાએ, ચોકકસ સંખ્યામાં, એકસ સમયે ધારાબદ્ધ રીતે જાપ કરવાથી અમુક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ બંધાય છે. જાપમાં સારી રીતે લીનતા ઉત્પન્ન થાય છે. આ નિશ્ચિત આરાધનાના સ્થાને બીજી કઈ વ્યક્તિ આરાધના કરવા બેસે તે તેનું ધ્યાન પણ તે વાતાવરણના કારણે સ્થિર બની જાય છે. મુન મુને સરિ, તિilમરિયા (પચસૂત્ર) સંકલેશ હોય ત્યારે નવકાર વાર વાર જપ, સંકુલેશ ન હોય ત્યારે પણ ત્રણ સંધ્યાએ અવશ્ય જ૫. નવકારના ધ્યાનની બીજી ભૂમિકા - આ રીતે નવકાર મંત્રની આરાધના શરૂ કર્યા પછી ધીમે ધીમે આંખ બંધ કરીને મંત્રના અક્ષરે નજરની સામે હાવવા પ્રયત્ન કર. આંખ બંધ કરીને આપણા ઈષ્ટ મંત્રના અક્ષરે કે આપણા ઈષ્ટદેવની મૂતિ નજરની સામે આવે ત્યાંથી ધ્યાનની શરૂઆત થાય છે. ઉપયોગ જોડાય છે ત્યારે મંત્રાલરે કે મૂર્તિ દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005643
Book TitleNamaskar Mantranu Dhyan
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy