SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. [ નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા. ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા-આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્ર-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે. મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શકય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અત્યંતર દિશામાં વિચરવાનું વધારે લક્ષ્ય રાખવું. ( અતિચાર ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. અધોદિફપરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. તિર્યગદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા-વિદિશામાં જવું તે. ક્ષેત્રવૃદ્ધિ - એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે. ૫. સ્મૃતિઅંતર્ધાન - રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં પણ મર્યાદાથી વધુ આગળ જવું તે. આ વ્રતના આ અતિચારોનો ત્યાગ કરવો. (વિશેષ નોંધ) 3. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy