SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાળા” અને “ભાવનાબોધ ૧૭ મા વર્ષમાં કવિશ્રીએ “મોક્ષમાળા (બાલાવબોધ)” ગ્રંથ લખ્યો; તે પછીને બીજે વર્ષે તેમણે “ભાવનાબોધ (દ્વાદશાનુપ્રેક્ષા સ્વરૂપ-દર્શન” લખી, “વૈરાગ્યાધિની કેટલીક ભાવનાઓ તેમાં” ઉપદેશી. બાદ ૧૯મું વર્ષ શતાવધાનકાળનું છે, જે દ્વારા તેમણે પિતાની પ્રતિભા-શક્તિનો ચમત્કાર જગતને દેખાડ્યો. તે બાદ વીસમા વર્ષમાં “મહાનીતિ” તેમ જ તેનાં “વચનામૃત” લખીને તે દ્વારા પિતાના નવ-ધર્મપ્રવર્તનને માટેની, કહો કે, શ્રમણ-ધર્મ-સેના યોજવાના મને રથ કર્યા. અને ત્યાં જ પૂર્વનાં પ્રારબ્ધ-કર્મનો ઉદય થયો, અને અધ્યાત્મ યાત્રા માટે જીવનમાં આગળની દિશા પૂર્વજન્માનુયોગે આવી લાગી. આમ ટૂંકમાં આ સમય સુધીની “સમુચ્ચય-વયયાત્રાની રૂપરેખા જોવા મળે છે. કવિશ્રીની કલમે વ્યવસ્થિત રૂપે લખાયેલા પ્રબંધ તરીકે જોઈએ તો, તેમાં મુખ્ય એક “મોક્ષમાળા” એમના સ્વાધ્યાય અને અભ્યાસને પરિણામે, તેમના ચિત્તમાં નીતરી રહેતો સાર છે, એમ કહેવાય. તેના ઉપદ્યાતનું પહેલું જ વાક્ય કહે છે, “નિગ્રંથ પ્રવચનને અનુકૂળ થઈ સ્વલ્પતાથી આ ગ્રંથ ગૂંથું છું. પ્રત્યેક શિક્ષા વિષય રૂપી મણિકાથી આ પૂર્ણાહુતિ પામશે. આડંબરી નામ એ જ ગુરુત્વનું કારણ છે, એમ સમજતાં છતાં, પરિણામે અપ્રભુત્વ રહેલું હોવાથી એમ કરેલું છે, તે ઉચિત થાઓ! ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને ઉપદેશ કરનારા પુરુષો કંઈ ઓછા થયા નથી; તેમ જ આ ગ્રંથ કંઈ તેથી ઉત્તમ વા સમાનતા રૂપ નથી; પણ વિનય રૂપે તે ઉપદેશકોનાં ધુરંધર પ્રવચનો આગળ કનિષ્ઠ છેઆ પ્રથમ દર્શન અને બીજા અન્ય દર્શનમાં તત્વજ્ઞાન તેમ જ સુશીલની પ્રાપ્તિ માટે અને પરિણામે અનંત સુખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy