SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમુચ્ચય-જય-ચર્યા” ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેના વિહાર છે, ધર્મ જ જેને નિહાર (!) છે; “ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે; - એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્ય-દેહે પરમાત્મા. દશાને શું આપણે નથી ઇચ્છતા? ઇચ્છીએ છીએ. તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા.” (શ્રી. ૧, પા. ૨૫૦) એટલે કે અપ્રમાદ અને સત્સંગ સતત સતેજ સક્રિય સેવવા. જોઈએ. એ જ “સ્વાધ્યાય-પ્રવચન”ને સારભાગ છે. અને એ સ્વાધ્યાય-પ્રવચન એટલે પ્રત્યક્ષ જીવનમાં શું કરવું, એ શ્રીમદના આ કાળના જીવનનો ખાસ નોંધપાત્ર ભાગ સાધક અભ્યાસીઓને માટે છે. ૨૩મા વર્ષે પૂરી થયેલી “સમુચ્ચય-વય-ચર્યા” અહીં આગળ અટકે છે. જીવનમાં વ્યવહારશુદ્ધિ આચરતાં કેમ મોક્ષાર્થે ચિત્તશુદ્ધિ સાધી શકાય, તેને સૂક્ષ્મ વ્યવસાય કવિના જીવનનાં આ વર્ષોમાં શરૂઃ થાય છે. કવિની ચિરાદશાની આરસીરૂપ તેમનાં આ સમયનાં લખાણે આ વ્યવસાયનું બારીક સ્વાત્મ-નિરૂપણ કરે છે. તેમાંથી કેટલાક અંશ. અલગ પ્રકરણ રૂપે જોવા ઠીક થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy