SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સચવય-ચર્યા” સંબંધી અને પ્રત્યે કેવો ભાવ ધરીને વર્તવું, તેને વિગતવાર બંધ વિચારીને લખે છે:– ૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, એમ માન. ૨. તારી (આત્મ-) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તે તું જ હલકો છે એમ હું માનું છું. ૩. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તને તેમાં સિદ્ધિ નહીં મળે, વા વિદન નડશે; તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. ૪. તું વ્યવહારમાં જેનાથી જોડાયો છે, તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ....કંઈ મારું વિપરીતાચરણ મનવચન-કાયાએ થયું, તે તે માટે પશ્ચાત્તાપી થઈશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી, સ્વને પણ તમારે ૯ષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તે તમારો ઉપકાર માનીશ, અને તેને ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તે મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં, માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વજો તેમાં મારે કાંઈ કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિ કોણીમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંત:કરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકું કરવા ઇચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે કોણિને સાચવવા મારી ઇચ્છા છે.......અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણિ તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતે લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy