SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ “પરે૫કારાય સતામ વિભૂતયઃ” ૨૫ ઐકયતાના રસિક પ્રસંગમાં આવનારને શ્રી.વીતરાગ-પ્રણીત યથાર્થ માર્ગ જણાવનાર એવા પૂજ્યશ્રીને મારા ઉપરના અનેકાનેક ઉપકારના સ્મરણાર્થે આ યોગીન્દ્ર દેવના આશયને લઈ લખેલ ગ્રંથ, નિજશ્રીના આશયોને ઘણી ઘણી રીતે મળતી આવે એવી ૧૦૮ શ્લેકરૂપી માળા નિજીને નમ્રપણે અર્પણ કરું છું....” - એમ અર્પણ પત્રિકામાંથી જણાવીને તે લેખક આગળ શ્રીમદ્ની વેપારમાં આવડત અંગે લખે છે – “અમારી ભાગીદારીનાં કેટલાંક વર્ષ તો સાહસિક વ્યાપારનાં ખેડાણોમાં ગયેલાં, અને તે સમયે તેની વ્યાપારઅને વ્યવહારકુશળતા એવી ઉત્તમ હતી કે, અમે વિલાયતના કેટલાંક વ્યાપારીઓ સાથે કામ પાડતા હતા, તેઓ અમારી કામ લેવાની પદ્ધતિથી દેશીઓની કાબેલિયત માટે પ્રશંસા કરતા હતા. અમારા આ વ્યાપારમી કૂંચીરૂપ, ખરું કહીએ તે, શ્રીમાન રાજચંદ્ર હતા.” (“રાજ જયંતી * વ્યાખ્યાનો,” વા. ૨૪-૨૬ ) - આમ ધંધો કરતા ને તેમાં ફાવતા છતાં, તેમનું તત્ત્વચિંતન અને “ઉદાસીભાવ બન્યાં જ રહેતાં. ધંધામાં ઘરાક સાથે સદે પરવારીને તરત પાછા તત્ત્વની અગાધ ગુફામાં ગરક થઈ જતાં તેમને વાર નહિ લાગતી. પાસે જ નોંધપોથી હોય તે લઈને, આજ આપણે જે જ્ઞાનભંડાર તેમની પાસેથી પામ્યા છીએ, તે તેમાં ટપકાવતાં. - આ પ્રકાર નિરંતર ચાલતા રહેતા ચિંતન-મનન અને ધ્યાન ઉપરાંત વર્ષમાં થોડોક કાળ તે ધંધામાંથી ફારેગ થઈ એકાંતમાં કયાંક જઈને રહેતા ને ચિંતન-મનન-નિદિધ્યાસનમાં કાઢતા. આપણને એમ જ લાગે કે એ પુરુષ તે મુખ્યત્વે ધંધાદારી કે દુનિયાદારીને વરેલા દુકાનદાર " હતા કે જગતમાં ભૂલા પડેલા જ્ઞાની ભક્ત પુરુષ હતા ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy