SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ “પરેષમારાય સાઇ વિભૂતયઃ” ૨૪ - “ધર્મકરણીને થોડો વખત મળે છે; આત્મસિદ્ધિને પણ થોડો વખત મળે છે; શાસ્ત્રપઠન અને અન્ય વાચનનો પણ થોડો વખત મળે છે; થોડો વખત લેખનક્રિયા રોકે છે; થોડો વખત આહાર-વિહાર-ક્રિયા રોકે છે; થોડો વખત શૌચક્રિયા રોકે છે; છ કલાક નિદ્રા રેકે છે; થોડો વખત મનોરાજ રોકે છે; છતાં છ કલાક વધી પડે છે. સત્સંગનો લેશ અંશ પણ નહિ મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભગવે છે.” (શ્રી. ૧- ૧૯૦-૧) કવિશ્રી મુખ્યત્વે જ્ઞાન-ધ્યાન-યોગી હતા. જીવનનાં આ વર્ષોમાં તે બહારનો કામધંધો તો કરતા; પરંતુ એમના આંતરયોગ આ પ્રકારે પ્રવતિ હતી, અને તે અંગે આવો તેમનો નિત્યક્રમ બન્યો હતો. - ધંધામાં પડતા પહેલાં નાનપણથી (લગભગ ૧૩-૧૪ વર્ષના થયા ત્યારથી, - ત્યારના સંસાર-જીવનના લકિક સાધારણ વર્ણધર્મ મુજબ, એમ પણ તેને સમજીએ તો પણ વાંધો નહીં.–) રાયચંદભાઈ તેમની પિતાની દુકાને બેસતા; તેમ છતાં, તે ઉંમરે પણ તે સાવધ હતા, એમ જોવા મળે છે. “સમુચ્ચયવયચર્યા માં તે જણાવે છે: “દુકાને મેં નાના પ્રકારની લીલાલહેર કરી છે. અનેક પુસ્તકો વાંચ્યાં છે. રામ ઇનાં ચરિત્રો પર કવિતાઓ રચી છે. સંસારી તૃષ્ણા ઓ કરી છે. છતાં કોઈને મેં ઓછો અધિકો ભાવ કહ્યો નથી, કે કોઈને એણું અધિકું તેળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.” તેમનો ધંધે ઝવેરીનો હતો. એમની શક્તિ અજાણે પણ અહીં ઝળકી ઊઠી. એકવીસમા વર્ષમાં એ આ ધંધામાં પડયા અને “ઘણા ટૂંક ખતમાં એક સારા ઝવેરી તરીકેની નામના મેળવી.” - ધંધામાં તેમના એક ભાગીદાર, નામે શ્રી. માણેકલાલ ઝવેરીએ આ અંગે કહ્યું હતું કે, “એકવીસ વર્ષની વયે જાહેરમાં દેખાવ દેવો બંધ કરી દીધો અને વ્યાપારમાં પડયા. લગભગ ૧૦ વર્ષ સુધી શરાકી આદિને અને ઝવેરાત વગેરેને મોટો વેપાર ખેડ્યો. પાપારમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy