SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જ્ઞાની ભક્તની પ્રતિભા દેહ તે આત્મા નથી આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેનાં સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-પાદિ-પરિણામ જોઈ નહર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથીઅને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.*...” શ્રીમદ્ આ ભાવ સ્પષ્ટ કરતે પત્ર પછીનાં વરસમાં લખાયેલો (મુંબઈથી ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૫૧) મળે છે; (શ્રી,૨ - પર૧) તેમાં તે લખે છે: “પૂર્ણજ્ઞાની શ્રી ઋષભદેવાદિ પુરુષોને પણ પ્રારબ્ધોદય ભગવ્યું ક્ષય થયો છે, તો અમ જેવાને તે પ્રારબ્ધોદય ભેગવવો જ પડે એમાં કંઈ સંશય નથી. માત્ર ખેદ એટલે થાય છે કે, અમને આવા પ્રારબ્ધોદયમાં શ્રીશ્યભદેવાદિ જેવી અવિષમતા રહે એટલું બળ નથી; અને તેથી પ્રારબ્ધોદય છતાં વારંવાર તેથી અપરિપકવકાળ છૂટવાની કામના થઈ આવે છે, કે જો આ વિષમ પ્રારબ્ધોદયમાં કંઈ પણ ઉપયોગની યથા-તશ્યતા ન રહી, તો ફરી આત્મસ્થિરતા થતાં વળી અવસર ગવેષો જોઈશે; અને પશ્ચાત્તાપપૂર્વક દેહ છૂટશે; એવી ચિંતા ઘણી વાર થઈ આવે છે. આ પ્રારબ્ધોદય મટી નિવૃત્તિ-કર્મ દવા રૂપ પ્રારબ્ધને ઉદય થવા આશય રહ્યા કરે છે. પણ તે તરતમાં, એટલે, એકથી દોઢ વર્ષમાં થાય એમ તો દેખાતું નથી અને પળ પળ જવી કઠણ પડે છે. • - “આત્માની કેટલીક અસ્થિરતા રહે છે. ગયા વર્ષને મોતી સંબંધી વ્યાપાર લગભગ પતવા આવ્યો છે. આ વર્ષના મોતી સંબંધી વ્યાપાર સરખા -“અશોચ્યાન અવશેચવમ...” ઇઉધન ગીતાકાર અર્જુનને કરે છે તે (ગીતા, ૨-૧૧ ઈ.). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy