SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીના માગને વિચાર ૭૧ છીએ. એ વસ્તુ પત્ર રૂપે પણ આ કાળના એક પત્રમાં (શ્રી. સેભાગચંદને) તેમણે લખેલી મળે છે. મુંબઈ, માગશર વદ ૯, સોમ, ૧૯૪૮ ના આ પત્રમાં (શ્રી, ૧-૪૦૮) લખ્યું છે: “ઉપાધિ વેદવા માટે જોઈનું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઇચ્છા રહ્યા કરે, તથાપિ ઉદય-રૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. પરમાર્થનું દુ:ખ મટયા છતાં સંસારનું પ્રાસંગિક દુ:ખ રહ્યા કરે છે, અને તે દુ:ખ પોતાની ઈચ્છાદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકારાદિનાં કારણનું રહે છે, અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આટલા લેખ ઉપરથી તે ઉગ સ્પષ્ટ નહીં સમજાય; કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એ ઉગ સિવાય બીજું કંઈ દુ:ખ સંસારપ્રસંગનું પણ જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે, તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય, તે તે અન્યની. અનુકંપા કે ઉપકાર કે એવાં કારણો હોય, એમ મને નિશ્ચયપણે લાગે છે. એ ઉદ્દે ગને લીધે ક્યારેક ચક્ષમાં આંસુ આવી જાય છે અને તે. બધાં કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. * “જ્ઞાનીના માર્ગને વિચાર કરતાં જણાય છે કે, કોઈ પણ પ્રકારે મૂછપાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું, એ સિવાય બીજો શોચ તેને ઘટતો. નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં, જેને દેહને વિષે મૂછ નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy