SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા જાણે અમુક હદ લગી જતાં, આગળ રસ્તો જ નથી, એમ માનીએ છીએ. હકીકતમાં એવું કાંઈ જ નથી. અમુક હદ પછી શાસ્ત્રો મદદ નથી કરતાં, અનુભવ મદદ કરે છે. તેથી રાયચંદભાઈએ ગાયું છે: જે પદ શ્રીસર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પદ શ્રીભગવંત જો; એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર પણ હાલ મનોરથરૂપ જો.’ “એટલે છેવટે તે આત્માને મોક્ષ દેનાર આત્મા જ છે. આ શુદ્ધ સત્યનું નિરૂપણ રાયચંદભાઈએ ઘણી રીતે પોતાનાં લખાણોમાં કર્યું છે. .” (“મુકુલ૦’ પા. ૫૩ થી ૫૫) આમ ગાંધીજીએ શ્રમની ધર્મદૃષ્ટિનું સારનિરૂપણ આપ્યું છે. એમાં ગાંધીજી પિતાને લાધેલી સર્વધર્મસમભાવના ભાળે છે, એમ કદાચ દલીલ થાય; પરંતુ તેવી દલીલમાં આ વિષેની એકાંગી કે વ્યંગ સમજ કદાચ હોય; ઊલટું એમાંથી એમ આપણે સમજી શકીએ કે, ગાંધીજી ધર્મમંથનની પિતાની ઊંડી આંતર મુસીબતને સમયે કવિને શરણે ગયા, તે તેમથી (એટલે કે, તેમની જોડેના સમાગમથી તથા તેમનાં લખાણોનો અભ્યાસ, તેમ જ ત્રણ પત્રો દ્વારા મેળવેલાં શંકા-સમાધન ઇત્યાદિથી) તેમને જે લાધ્યું, તે એમણે પોતાની અનુપમ ભાષા-શૈલીમાં નિરૂપ્યું. કવિની ધર્મભાવનાનું સ્વરૂપ બતાવ્યા પછી ગાંધીજી તેમનો શાસ્ત્રાભ્યાસ વર્ણવીને (તે ભાગ – જુઓ V૦ ૨૧, “શાસ્ત્રાભ્યાસને મથાળે ઉતાર્યો છે.) તે એમને જૈનમત વિષે પક્ષપાત પણ જાણે છે, અને તે સ્પષ્ટ કરતાં કહે છે - “તેમને પક્ષપાત જૈન દર્શન તરફ હતું, એમ તેઓ મને કહેતા. તેમની માન્યતા હતી કે, જિનાગમમાં આતમજ્ઞાનની પરાકાષ્ઠા છે. તેમનો આ અભિપ્રાય મારે અહીં આપી જવો આવશ્યક છે. તેને વિષે હું મત આપવા મને તદ્દન અનધિકારી ગણું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy