SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમત-સમાગમ વિષે નિષ્ઠાવાન – દૃઢ બને છે. અને રાયચંદભાઈનાં સંસ્મરણો તેમણે ૧૯૨૨-૪ ની જેલ દરમિયાન લખ્યાં, તેમાં કવિની આ વલણવૃત્તિ વિષે જાત-અનુભવે જાણેલું જે કહે છે, તેમાં પોતે લખે છે – રાયચંદભાઈના ધર્મને વિચાર કરીએ તેના પહેલાં, ધર્મનું સ્વરૂપ જે તેમણે આલેખ્યું હતું, તે જોઈ જવું અગત્યનું છે. ધર્મ એટલે અમુક મતમતાંતર નહિર ધર્મ એટલે શાસ્ત્રોને નામે ઓળખાતાં પુસ્તકોને વાંચી જવાં કે ગોખી જવાં, અથવા તેમાં કહેલું બધું માનવું જ, એ પણ નહિ. . . ધર્મ એ આત્માને ગુણ છે અને માનવજાતિને વિષે દશ્ય કે અદૃશ્ય રૂપે રહેલો છે. ધર્મ વડે આપણે મનુષ્ય-જીવનનું કર્તવ્ય જાણી શકીએ છીએ. ધર્મ વડે આપણે બીજા જીવો પ્રત્યેનો આપણો ખરો સંબંધ ઓળખી શકી છે. આ બધું, જયાં સુધી આપણે પોતાને ન ઓળખીએ, ત્યાં સુધી ન જ બની શકે, એ તે દેખીતું છે. તેથી ધર્મ એટલે જે વડે આપણે પોતાને ઓળખી શકીએ તે સાધન.. . . “આ સાધન આપણે ક્યાંથી મળે ત્યાંથી લઈએ. પછી ભલે તે ભારતવર્ષમાં મળે કે યુરોપથી આવો કે અરબસ્તાનથી. આ સાધનોનું સામાન્ય સ્વરૂપ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ છે, એમ જેણે જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તે કહી શકશે. હિંસા કરવી એમ પણ કોઈ શાસ્ત્ર નથી કહેતું. સર્વ શાસ્ત્રોનું દોહન કરતાં શંકરાચાર્યું બ્રહ્મ સત્ય જગ મિથ્યા’ કહ્યું. કુરાન શરીફે તેને બીજી રીતે – ઈશ્વર એક છે ને તે જ છે, તેના વિના બીજું કશું નથી, – એમ કહ્યું. બાઇબલે કહ્યું, હું ને મારો પિતા એક જ છીએ.” એ બધાં એક જ વસ્તુનાં રૂપાંતર છે. પણ આ એક જ સત્યને ખીલવવામાં અપૂર્ણ મનુષ્યોએ પિતાનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુ વાપરી આપણે સારુ મેહજાળ રચી છે, તેમાંથી આપણે નીકળવું રહ્યું છે. આપણે અપૂર્ણ તે, આપણાથી એ છો અપૂર્ણની મદદ લઈ, આગળ જઈએ છીએ અને છેવટે, કેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy