SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ * પાંચમા દિવસની કાર્યવાહી કે ક૭ રહેતું નથી, માત્ર સાંભળવાને અધિકાર રહે છે. તે સાધુઓને બલવાને અધિકાર છે કે-બધા સૂરિઓને જ અધિકાર છે? આચાર્યો ખુલાસે આપવા કૃપા કરે. હું પૂછું છું કે-એમાં શ્રમણોનું સન્માન જળવાય છે? મને લાગે છે કે તેમાં શ્રમણનું સન્માન જળવાતું નથી. શેઠ કેશુભાઈ કહે છે તે સાચું જણાતું હોય તે આપ બધા સૂરિએ અમને ઓર્ડર આપે કેઅહિંથી ચાલ્યા જાઓ અમારા મેઢાં ઉપર તાળાં મારીને બેસાડવાને શું અર્થ? આ ચર્ચા માટે સૂરિવરો જ કામના છે એમ કેશુભાઈની વાતને સાર વારંવાર આવે છે, એ શોચનીય નથી જણાતું? સંમેલન જે સૂરિવરને જ કરવાનું હોય તે અમારું આવું વારંવાર ઉઘાડું અપમાન સહન કરીને અહિં બેસી રહેવાની સ્થિતિમાં અમે શમણે માનતા નથી. જે આવી જ સ્થિતિ નભાવવી હોય તે શ્રમણે એ પણ વિચારી લેવું રહે છે. શાસનની ધગશના લીધે અમે પણ અહિં આવ્યા છીએ. શ્રમણ સંઘનું આ રીતે વારંવાર અપમાન થાય તે શેચનીય લેખાવું જોઈએ. રામસૂરિજી-કેશુભાઈને, તમે જે કહે છે તે અંગે આ વસ્તુ તમે તમારી અંગત રીતે રજુ કરે છે કે-૭૧ની કમીટી અથવા ૧૧ની કમીટી તરફથી ? નંદન રિજી-કેશુભાઈ અંગતરીતે કહે છે. શ્રમણે આવ્યા છે તે રોજનગરના સંઘવતી આવ્યા નથી, નગરશેઠના કહેવાથી નથી આવ્યા; સં. ૧૯૦ના સંમેલન વખતે નગરશેઠે જેમ ઠરાવ કર્યો હતે તેવું સંઘવતી આમંત્રણ નથી અપાયું. આણંદજી કલ્યાણજીની પેઢીએ આમંત્રણ આપ્યું નથી, તેમણે પણ કઈ ઠરાવ કરીને આમંત્રણ નથી આપ્યું ! ૭૧ની કમિટિના નામે પણ આમંત્રણ નથી આપ્યું! પત્ર પિતાના જ નામથી લખ્યા છે. ૧૧ની કમિટિના આમ ત્રણથી પણ આપણે અહિં મળ્યા નથી ! માત્ર કેશુભાઈની સરળતાધગશથી આપણે આવ્યા છીએ. કેમ કેશવલાલભાઈ ! બરાબર ને? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy