SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા દિવસની કાર્યવાહી ક ૩ પની મિતિને લક્ષ્યગત કરીને અમદાવાદ મુકામે સંમેલન અર્થે ફાગણ વદ ચોથ સુધીમાં પધારેલા સેંકડે સાધુ-સાધ્વીજી મહારાજેને અમદાવાદના ભરચક ઉપાશ્રયમાં ૧ માસ સુધી અનેક પ્રકારની અગવડો સહન કરીને નકામું ગોંધાઈ રહેવા જેવું બનવા પામ્યું હતું. બાદ વૈશાખ સુદ ૨ તા. ૨૧-૮-૫૮ને સેમવારના દિવસે શેઠશ્રી કેશવલાલભાઈ તરફથી નીચે મુજબ વિનંતિપત્રિકાઓ વહેંચવામાં આવી હતી. જૈન સકલ સંઘને વિનંતિ. વૈશાખ સુદ ૩ તા. ૨૨-૪-૫૮ને મંગળવારના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈ વડે ભરાવાના તપગચ્છ મુનિસંમેલનને કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે ૧૧-૩૫ વાગતાં સ્નાત્ર પૂજાના મંગલ પ્રારંભથી શરૂઆત. સ્નાત્ર પૂજા પૂરી થયા બાદ, પૂર આચાર્ય ભગવંતો આદિ મુનિ મહારાજશ્રીઓનું સ્વાગત પ્રવચન થશે, અને તેઓશ્રીને મંત્રણા શરૂ કરવા વિનંતી કરવામાં આવશે. પ્રવેશમાર્ગ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે. (૧) પૂ આચાર્ય ભગવતે તથા મુનિમહારાજશ્રીએ અવેરીવાડના નાકે થઈ રતનપોળ શેઠની પિાળમાં થઈને પધારશે. (૨) પૂ. સાધ્વીજીમહારાજ ત્થા બહેનોને ગોલવાડમાં થઈ શેઠ દલપતભાઈ ભગુભાઈને વંડાના દરવાજેથી પધારવા વિનંતિ છે. . (૩) ભાઈઓને પાનકોરના નાકાના શેઠ લાલભાઈને વંડાના દરવાજે થઈને પધારવા વિનંતિ છે. આ માંગલિક પ્રસંગે ઘેર ઘેર ઓછામાં ઓછી એક આયંબિલની તપસ્યા કરવા સકલ સંઘને વિનંતિ કરવામાં આવે છે. પ્રજાબંધુ પ્રેસ, ખાનપુર-અમદાવાદ. સંઘ સેવક, કેશવલાલ લલ્લુભાઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy