SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ 4 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન શ્રી ઉદયસૂરિજીમ, આશ્રી ધર્મસૂરિજી ૧૨-૫૫ મીનીટે, આ૦ . શ્રી પ્રતાપસૂરિજી ૧-૫ મીનીટે આવ્યા હતા. ગઈકાલ સુધી સંમેલનમાં પૂ૦આ શ્રી વિજયસૂરિજીમના એક જ સ્થાપનાજી સહુને સ્વીકાર્યા હતા, પરંતુ આજના સંમેલનમાં સ્થાપનાચાર્યજી બે નજરે પડતા હતા. નવા પક્ષના આશ્રી લબ્ધિસૂરિની સન્મુખ આજે પ્લાસ્ટિકની ઠવણી ઉપર સ્થપાએલા બીજા સ્થાપનાજી જેઈને આજે સહુને આશ્ચર્ય થએલ કેકેઈ દિવસ નહિ ને આજે જ આમ કેમ? આવનારાઓમાં સહુ લગભગ આવી ગયા હતા, પણ સંમેલનના અગ્રગણ્ય પૂમાંના આશ્રી નંદનસૂરિજી તથા સાહિત્યપ્રેમી મુનિ રાજશ્રી પુણ્યવિજયજી મહારાજ હજુ સુધી નહેતા આવ્યા. આમંત્રણ આપનાર કેશવલાલભાઈ પણ આવેલ ન હતા. કાલે જે મૌન એકાદશી ઉજવાણી છે, તે ધુંધવાટના ફળસ્વરૂપે આજે વિખવાદનું વાતાવરણ થવું જોઈએ એમ આજે ઘણા મુનિરાજોનું માનવું હતું; પણ સૌના હયાં ઠંડાજ દેખાતાં એ માન્યતા નિરર્થક નીવડી હતી. આજે સૌના સુખારવિંદ ઉપર ઉદાસીનતા ભાસતી હતી, એ તે ખરૂંજ. તેમાં પણ એક કારણ એ લેખાતું હતું કે-જ્યારે એક વાગ્યે ત્યારે આ શ્રી રામચંદ્રસૂરિએ તેમના શિષ્ય આશ્રી ભુવનસૂરિને કહેલકે “આજે આપણે આઘન્ત (મંગલાચરણથી પ્રારંભી સર્વમંગલ મધી) કાંઈ જ બલવાનું નથી ! એ સાથે જ તેઓશ્રીએ જંબુસૂરિને હાથના ઈશારાથી નવકારવાળી ગણવાનું કહ્યું હતું.” ૧-૪૫ મીનીટે આશ્રી નંદનસૂરિજી, મુનિરાજશ્રી પુણ્યવિજયજી અને કેશવલાલભાઈ આવ્યા. તેઓના હાવભાવ ઉપરથી સહુને થયું કેઆજે કાંઈક ચેકસ વાતાવરણ ગોઠવીને જ આ ત્રણે આવ્યા લાગે છે.’ ૧-૫૦ મીનીટે લાવણ્યસૂરિજી આવ્યા, બે વાગે પૂછ ઉદયસરિઝમનું મંગલાચરણ [ આટલા દિવસોના મંગલાચરણમાં શ્રી પ્રેમસૂરિ-રામચંદ્રસૂરિ– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy