SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ / ધન્ય આ ધરતી તેઓ સામ-દામ-દંડ-ભેદ બધા રસ્તાઓ લઈને એમનો માલ અહીં અને બીજે ઠોકરો. આના અંગે શું થઈ શકે ? અત્યારની આર્થિક વિચારસરણી તો આ દલીલને તાર્કિક બતાવે છે, કારણ કે ગ્રાહકને ચીજવસ્તુઓ સસ્તી મળે અને નવી ને નવી તથા વધુ ને વધુ મળે એ ધ્યેય છે. જો પરદેશની કંપનીઓ આપણા બજારમાં આપણા દેશની કંપનીઓ કરતાં વધુ સસ્તાં કૉમ્પ્યુટર, રેફ્રિજરેટર, ટેલિફોન, ટેલિવિઝન, સિન્થેટિક કાપડ અને બીજી વસ્તુઓ અને વધુ સસ્તું રાસાયણિક ખાતર અને મીઠું આપી શકે તો એનો શા માટે પ્રતિકાર કરવો એમ દલીલ થાય છે. અત્યાર સુધી તો આયાત-જકાતની નીતિઓ અને નિયમો વડે આપણે ત્યાં આવી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓને સંરક્ષણ આપવામાં આવતું હતું પણ હવે મુક્ત બજારની વિદેશવેપાર નીતિ યોગ્ય છે એ દલીલ આગળ ધરીને આયાત ઉપરનાં નિયંત્રણો દૂર કરી વિદેશી કંપનીઓને અહીં આવવા દેવામાં આવશે. કૌશિક કહે પણ આપણને તો એમ વ્હેવામાં આવે છે કે મુક્ત વિદેશવેપારની નીતિને કારણે આપણા દેશની કંપનીઓ વિદેશોમાં એમની નિકાસ વધારશે અને આપણો દેશ દુનિયામાં આર્થિક મહાસત્તા બનશે. તું ધોળે દિવસે તારા જુએ છે કૌશિક? આંતરરાષ્ટ્રીય વેપારમાં આજે દુનિયાના દેશો વચ્ચે કેટલી ગળાકાપ તીવ્ર હરીફાઈ છે તે તું જાણે છે? ભલભલા જાપાન, જર્મની, કોરિયા અને અમેરિકા જેવા દેશોની કંપનીઓ ત્યાં હાફે છે અને પ્રતિસ્પર્ધી પોતાને ક્યારે ફેંકી દેશે એ ભયથી ચિંતામાં છે. દુનિયાના ૧૮૦ દેશોમાંથી આપણા જેવા અનેક દેશો અંદર પેસવા માગે છે. હવે તો ચીન, રશિયા અને પહેલાના સામ્યવાદી દેશો પણ આ તરફ વળ્યા છે. આ મહાયુદ્ધમાં આપણા દેશના વેપારીઓ જીતે અને જીતે તો કેટલા જણ જીતે અને સતત હરીફાઈમાં કેટલો વખત ટકે એ તો તું વિચારી જો? અને આપણા થોડાઘણા ઉદ્યોગપતિઓ થોડોઘણો સમય જીતે તોપણ આપણી ૯૩ કરોડની પ્રજાને એનો શો લાભ થાય? અને એ વેપારીઓ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી ન શકે ત્યારે પોતે પણ કેટલા ફેંકાઈ જાય ? તો આપણા દેશની કંપનીઓએ આનો વિરોધ ન કરવો જોઈએ? એ નથી કરતી એનું કારણ એ છે કે આજે આપણા દેશની ઘણીખરી મોટી કંપનીઓએ પરદેશની કંપનીઓ સાથે સહયોગ કરેલો જ છે અને એમની નજર પણ પરદેશ ભણી છે. દેશની ઘણી કંપનીઓ પરદેશની કંપનીઓની અહીં કામ કરતી શાખારૂપ જ છે. બીજું કે પરદેશની કંપનીઓ આપણે ત્યાં એમનો માલ વેચીને આપણને બેકાર કરે એ તો બાજુએ, અત્યારે જ આપણા જ દેશની મોટી કંપનીઓએ આપણને બેકાર કરેલા જ છે. આ કારણોએ પરદેશની કંપનીઓ ખરાબ અને આપણા દેશની સારી એ દલીલ ઢીલી પડી જાય છે. તો શું આપણા જેવા દેશોના લોકોએ માત્ર પ્રેક્ષક બનીને બધું જોયા કરવાનું અને મૂંગે મોઢે જે થાય તે સહન કરવાનું? હવે તો દેશ શબ્દ ભૌગોલિક અને રાજકીય અર્થમાં રહ્યો છે. આર્થિક દષ્ટિએ તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy