SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બજેટનો બોજ | ૮૫ કારણ ન રહે તો પ્રજા પરથી કરવેરાનો બોજો અત્યંત હળવો થઈ જાય; પણ બીજી બાજુ સરકારનો મોટો ભાગ બેકાર થઈ જાય, તેથી સરકાર એમ કરશે ખરી? કાપડની મિલો પાસેથી સરકાર સીધી અને આડક્તરી રીતે ઘણી મોટી આવક મેળવે છે. એટલે સરકાર એમને પ્રોત્સાહન આપતી રહે છે. પરંતુ પ્રજાને તો જો પોતાને જરૂરી કાપડ દરેક સ્થળે રેંટિયો અને સાળથી બને તો તે માટે માત્ર ખરાબાની જમીન પર ઊગતું રૂ તથા નિવૃત્ત લોકોનો થોડો ઘણો સમય જ જોઈએ અને બીજો કોઈ ખર્ચ ન થાય. એટલે એ કાપડ ઘણું જ સસ્તું પડે. ઉપરાંત આના અનેક આર્થિક તેમ જ બીજા લાભ આપણે જોઈ ગયા છીએ. અત્યારે પ્રજાને જરૂરી કાપડ મિલોમાં બનતું હોવાથી એ કાપડ બનાવવા માટે જરૂરી ફળદ્રુપ જમીનથી માંડી યંત્રો, વિજળી, વહીવટ, વેચાણ, વાહનવ્યવહાર વગેરેના અત્યંત મોટા ખર્ચા થાય છે. એટલે એ કાપડ ઘણું જ મોંધું બને છે. પરંતુ મિલોને કારણે મળતી આવકને કારણે સરકાર આ દિશામાં પગલાં નથી ભરતી. શું પોતાની તિજોરી ભરવા સરકાર પ્રજાના હિતનો વિચાર નહીં કરે? પ્રજાના હિતની વિરુદ્ધ ખુદ સરકારનું હિત હોઈ શકે? નાગરિકોએ એક તો એ વિચારવાનું છે કે સરકારે એમનાં ક્યાં કામો કરવામાં છે અને તે કેવી રીતે ? સરકારે એ પ્રમાણે કામ કરે છે કે નહિ? - તે સાથે નાગરિકોએ એ પણ વિચારવાનું છે કે સરકાર એમનાં કામ કરી શકે એમ છે ખરી? સરકાર એ કામો કરવા ધારે તો પણ એ કામો પાર પાડવાની સરકાર પાસે શક્તિ છે? એ કામો સરકારી તંત્ર દ્વારા પાર પાડી શકે એવાં છે ખરાં? દાખલા તરીકે મોંઘવારી, બેકારી, ગુનાખોરી, પ્રદૂષિત હવાપણી, ખોરાક, ઔદ્યોગિક ક્ષેત્રનું ધૂંધળું ભવિષ્ય, પૈસાનું ગગડતું જતું મૂલ્ય વગેરે મુખ્ય પ્રશ્નો સરકાર ઉકલી શકે ખરી? સરકારી તંત્ર પ્રજા માટે કેટલું કરી શકે એ વિચારવાનું છે. દેખીતું છે કે સરકાર પૈસા ખર્ચી શકે કે કાયદા કરી શકે. પરંતુ પ્રજાની સમસ્યાઓ ઉકેલવા માટે જે વસ્તુની કમી છે તે પૈસાની કે કાયદાની નથી. આજે પ્રજાની મૂળ સમસ્યાઓ આર્થિક છે અને આ સમસ્યાઓનું મૂળ કારણ છે બજારનો અભાવ, જેને પરિણામે ઉત્પાદન અને રોજગારી ઘટતાં જાય છે. સરકાર પ્રશ્નો હલ નથી કરી શકતી તે આ કારણે. કારણ કે કોઈ સરકાર બજાર ઊભું ન કરી શકે. એથી નાગરિકોએ પોતાના પ્રશ્નો હલ કરવા સરકાર તરફથી આશા રાખવાને બદલે અત્યારનું અર્થતંત્ર બદલવાનો વિચાર કરવો જોઈએ. બજાર સશક્ત કરવાનો વિચાર કરવો જોઈએ અને એ માટે અત્યારના વૈશ્વિક બજાર માટે ઉત્પાદન કરતા ઉદ્યોગોને બદલે સ્થાનિક બજાર માટે ઉત્પાદન કરતા ઉદ્યોગોનો રસ્તો વિચારવો જોઈએ. સરકારે બજેટ રજૂ કરી પ્રજા પાસેથી પૈસા મેળવવાને બદલે પોતે પ્રજાનો વિકાસ કરશે એવી જાતે જ ધારી લીધેલી પોતાની જવાબદારી છોડી દેવી જોઈએ. pલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy