SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ / ધન્ય આ ધરતી તે યોગ્ય છે? બજેટ વખતે પ્રજાએ આ પ્રશ્નો ઉઠાવવાના છે. માત્ર નાણાપ્રધાને, ધારો કે ચા ઉપરનો કર ઘટાડ્યો એટલે ગૃહિણીઓ ખુશ થઈ ગઈ, કે સ્કૂટર ઉપરનો કર ઘટાડ્યો એટલે યુવાનો ખુશ થઈ ગયા કે આવક્વેરાની મર્યાદા પાંચપચીસ હજાર વધારી એટલે જનતા ખુશ થઈ ગઈ, કે કંપનીઓ માટે કોઈ વેરામાં ફેરફાર કર્યા એટલે ઉદ્યોગપતિઓ ખુશ થઈ ગયા એ પૂરતું નથી. એટલાથી ખુશ થઈ જઈને આ મૂળ પ્રશ્નો ઉઠાવવાના બાજુએ ન મૂકાય. એ તો ‘ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા' જેવું થયું. જ ઉપરાંત સરકાર કર તો ભાગ્યે જ ઘટાડે છે. મોટે ભાગે .તો જનતા પર કરવેરાનો બોજ વધારે જ છે અને મોંધવારી આસમાને ચડાવે છે અને એનું કારણ એમ આપે છે કે દેશના હિત માટે પ્રજાએ બલિદાન આપવું જોઈએ, પરંતુ તો પછી પ્રજાને પણ એ પૂછવાનો અધિકાર છે કે પોતે આપેલા બલિદાનથી દેશનું ક્યું હિત, કઈ રીતે, કેટલે અંશે સધાય છે? આ સવાલ થોડો પેચીદો છે, કારણ કે સરકારને જ્યારે લોક્મત વડે ચૂંટાવાનું હોય છે ત્યારે મત માગવા ગરીબ લોકો પાસે જવું પડે છે કારણ કે મોટા ભાગની પ્રજા ગરીબ છે. પણ સરકારને જ્યારે પોતાના ખર્ચા કરવા બજેટ દ્વારા પૈસા ભેગા કરવાના હોય છે ત્યારે પૈસાદારો પાસે અને નોકરિયાતો પાસે જવું પડે છે, છેવટે પરદેશથી પણ પૈસા લાવવા પડે છે કારણ કે પૈસા ત્યાં છે. આમ બે બાજુ જુદાજુદા લોકોને ખુશ રાખવા પડે છે. એટલે આખી સરકારમાં નાણાપ્રધાન જુદા પડી જતા હોય છે. ઘણુંખરું એ રાજકીય વ્યક્તિ પણ નથી હોતા અને જાહેર જનતા સમક્ષ પણ ભાગ્યે જ જાય છે. સરકારને નોકરી આપનાર એક વર્ગ ગરીબ વર્ગ છે અને પૈસા આપનાર બીજો વર્ગ પૈસાદાર વર્ગ છે. જો કે આનો અર્થ એ નથી કે ગરીબ લોકો સરકારને પૈસા નથી આપતા. સરકાર એમની ગરીબાઈ દૂર કરવાની તો બાજુએ, એમની પાસેથી પૈસા મેળવવામાં કશું બાકી નથી રાખતી. એમની જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ એમણે કર ભરવા પડે છે. એટલે સુધી કે જે મીઠા પરનો કર નાબૂદ કરવા ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી અને અંગ્રેજ સરકાર સામે સ્વાતંત્ર્યસંગ્રામ શરૂ ર્યો હતો એ મીઠા પર ભારતીય સરકારે સત્તા પર આવતાંની સાથે કર નાખ્યો અને આજ સુધી કોઈ પણ પક્ષની સરકારે એ હટાવ્યો નથી! કારણ કે મીઠાનો વપરાશ દરેકે દરેક વ્યક્તિ માટે જરૂરી હોઈ એના ઉપરના કરમાંથી સરકારને આવક થાય છે. બીજું ઉદાહરણ છે શરાબનું. દારૂ ઉપરના કરવેરામાંથી સરકાર એટલી મોટી આવક કરે છે કે પ્રજામાં દારૂની લત ઓછી થાય એ સરકારી તિજોરીના હિતમાં નથી, તેથી આવી પ્રવૃત્તિઓ સમાજના હિતની વિરોધી હોવા છતાં સરકાર તે ચાલવા દે છે. સંરક્ષણ ઉપરનો સરકારી ખર્ચ ઘણો હોય છે. જો પાકિસ્તાન સાથે લડાઈનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy