SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ | ધન્ય આ ધરતી મળતા રેષા અને ૧૦. આંગણાની શોભા. કેળનું ઝાડ તો કેટલું સુંદર દેખાય છે, બાલગોપાલ કૃષ્ણને તેની આગળ વાંસળી વગાંડવાનું ગમે એવું : એ જ પ્રમાણે લીમડો અને જગા ન હોય તો બાવળનો નાનો છોડ રાખ્યો હોય તો એનું દાતણ ફાઈવ-ઈન-વન છે: ૧. ટૂથબ્રશ, ૨. ટૂથપેસ્ટ, ૩. ચીરી, ૪. પેઢાં મજબૂત કરતી ચાવવાની કસરત અને ૫. દરરોજ નવું અને તાજું. લીમડો તો ખૂબ ઓક્સિજન અને અનેક સ્વાસ્યદાયક ઔષધો પણ આપે છે. જે - થોડી વધારે જગા હોય તો તુવેર, ચણા, ચોળી અને મગ પણ વાવી શકાય. જમીનની અંદર બટાકા, મગફળી વગેરે ઊગી શકે. આપણા ઘરની આજુબાજુ જે કોઈ જમીન હોય તેને ખરેલાં પાંદડાં, અળસિયાં, રસોડાનો કચરો અને જ્યારે મળે ત્યારે છાણ વગેરેનું ખાતર નાખીને જીવતી રાખીએ તો વગર મહેનતે ઘણું વળતર મેળવી શકીએ. મને એક કહેવત યાદ આવી ગઈ, સુપ્રિયા બોલી, 'કણ વાવો મણ લણો.” આ તો સાવ સાદી ખેતીની વાત છે. પણ આપણે જરૂરી ઘણી વસ્તુઓ સાદી રીતે સહેલાઈથી અત્યંત સસ્તી બની શકે. બીજા શબ્દોમાં જોઈએ તો થોડી જ મૂડી પર ઘણું વળતર મળી શકે. ગામડાંના લોકોને તો એથી ઘણો ફાયદો થાય. * કાપડ બનાવવાની વાત તો આપણે જોયેલી છે, કે એક કિલો ટૂંક તાંતણાનું રૂ, જે વાવીએ નહીં અને ખરીદીએ તોયે વીસેક રૂપિયે મળે તેમાંથી આઠ મીટરે એટલે કે બસો રૂપિયાનું કાપડ બને. નળિયાં, રંગો, દવાઓ વગેરે તો ઘણું સસ્તું બને. આ મૂડીરોકાણ આજની જેમ જંગી પાયા પર ન થઈ શકે પણ એમાંથી મળતું અઢળકે વળતર હંમેશાં મળી શકે એટલે એમાં કોઈ જોખમ નથી. કારણ કે ઉત્પાદન કરવા માટે સ્થાનિક બજાર જોઈએ અને અત્યારે ગામડામાં મોટું અને સતત બજાર કાપડનું જ છે અને કાપડનું ઉત્પાદન શરૂ થવામાં મુશ્કેલી એ છે . કાંતનારાઓ અને વણકરોને સંધાન નથી. ' એટલે હવે આપણે પહેલાં વણકરને કાપડ ઉદ્યોગનો આર્થિક લાભ બતાવી અને પોતાની આજુબાજુ કાંતનારા ઊભા કરવાની વાત કરવી પડશે. અત્યારે આપણું આ કામ ધીમું પડ્યું છે કારણ કે ખેતીની ઋતુ હોવાથી વણકરો ખેતીકામમાં રોકાયેલા છે. પરંતુ તે દરમિયાન ગુજરાતનાં ક્યાં ક્યાં ગામડાંમાં વણાટ કરતા વણકરો છે, તેમની પાસે કેટલી સાળ છે અને ખાસ તો કોની સાળ બંધ પડેલી છે એની માહિતી ભેગી કરી રહી છું. અનન્ત થોડા મહિના પહેલાં જ ઓરિસ્સાથી આવ્યો છે. એ અત્યાર સુધી શાંત બેઠો હતો. એણે વાતમાં નવો મુદ્દો ઉમેર્યો : ગ્રામોદ્યોગના ખરા લાભ તો છે સહુને મળતી રોજગારી, સમાનતા, સ્વતંત્રતા, માનસિક શક્તિઓનો વિકાસ, સર્જનાત્મક્તા, ભાઈચારો અને શાંતિ. પરંતુ અનંત, સુપ્રિયા કહે છે તેમ આજે પૈસાની બોલબાલા એટલી બધી છે કે નૈતિક કારણો બાજુ પર મૂકાઈ જાય છે. એથી અત્યારના પૈસાના, નફાના, લાભના ત્રાજવે પણ ગ્રામોદ્યોગનું પલ્લું ઘણું ભારે નમતું છે એ પાસું આગળ કરીને ગ્રામોદ્યોગને અમલમાં લાવી શકીએ. અનાના રસનો વિષય છે માણસની સર્જનશક્તિ. એ બોલી ઊઠ્યો, ગ્રામોદ્યોગો શરૂ કરીએ આર્થિક નફા માટે, પણ જો એ શરૂ થાય તો સહુને સ્વતંત્રતા મળી શકે અને તો જ સર્જનાત્મક શક્તિ ખીલી શકે. હું પણ વણકરોને આ નવી રીતે, તૈયાર કરવાના કામમાં જોડાઈશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy