SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ૪૫ સૌથી વધુ વળતર આપતું રોકાણ સુપ્રિયાએ દલીલ કરી : ગ્રામોદ્યોગોની વાત જ છોડી દો, કારણ કે માણસ સ્વાર્થી છે અને એટલે એ પૈસા પાછળ જ દોડશે. પણ સુપ્રિયા, સ્વાર્થને કારણે પણ આપણને સાદાં સાધનોથી જાતે વસ્તુઓ બનાવવાનું વધુ ગમશે, વધુ નફાકારક લાગશે. એક સાદો જ દાખલો લે. તું રોજ શેરના ભાવ તો જુએ છે ને? તો એક ઈન્વેસ્ટમેન્ટ એવી છે કે ૫૦ પૈસાના રોકાણ પર ત્રણ જ મહિના પછી દરરોજ રૂા.૨૫નું વળતર મળે, ચાર મહિના સુધી. કોઈ શેર આટલું વળતર આપે છે? પણ કુદરતે તો તે હંમેશા આપી શકે. આંગણાની આ નાનક્કી જગામાં પચાસ પૈસાનાં શાકનાં બી લાવીને રોપી દે. સો એક છોડ થશે. બે-ત્રણ મહિને છોડ મોટા થતાં રોજનું દોઢેક કિલો શાક મળશે. ચોમાસામાં તો પાણી પાવા જેટલીય મહેનત નથી. પેલા ખૂણામાં નાનો ખાડો કરી એમાં આ ઝાડનાં ખરેલાં પાન જે રોજ વાળીએ છીએ તે, થોડાં અળસિયાં અને રસોડાનો કચરો નાંખ્યા કર. એનું ખાતર માટીને જીવતી રાખશે. રોજ પચીસેક રૂપિયાનું શાક મળશે. તાજું અને રસાયણરહિત. ખરીદવા જવાની ઝંઝટ નહીં. ફ્રીજમાં ભરી રાખવાની જરૂર નહીં અને ખરેલાં પાંદડાં તથા રસોડાનો કચરાનો પણ સહેલો નિકાલ. મુંબઈના ફલેટ્સમાં આ ન ફાવે, છતાંય બાલ્કનીમાં દસ-બાર કૂંડાંનો પ્રયોગ કરવા જેવો છે. સુપ્રિયા, તને પીટર અને પેટ્રા યાદ છે ? જર્મની જેવા દેશમાં પણ તે અને ઘણાં બીજાં, એમના ફલેટના રસોડાની બારીમાં નાનાં નાનાં ખોખાંઓમાં કોથમીર, લસણ, પાલખ વગેરે ઉગાડે છે. જ્યારે જરૂર પડે ત્યારે ચૂંટી લેવાની અને હમેશાં તૈયોર. એનાથી બારી પણ સુશોભિત લાગે છે. ગાજર, સૂરણ, અળવીનાં પાન, મરચાં, ટામેટાં તો સજાવટમાં પણ મૂકી શકાય એટલા સુંદર છોડ હોય છે. તુલસીનો છોડ તો ગૃહલક્ષ્મી કહેવાય છે. એ જંતુનાશક દવાનું કામ કરે છે કારણ કે તુલસીને લીધે આસપાસના છોડમાં જંતુઓ નથી પડતાં. ઝૂંપડાવાસમાં જગા ન હોય પરંતુ ત્યાં પણ દૂધી, ગલકાં, કારેલાં, પાપડી વગેરેના વેલા તો ઝૂંપડાને છાપરે ચડાવી શકાય. ઘણી વાર ત્યાં ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન હોય છે, તો ગંદું પાણી એક બાજુ વાળી તેમાં કેળ ઉગાડી શકાય. . સુપ્રિયા, તારો રેડિયો-ટેપરેકોર્ડર ટુ-ઈન-વેન છે ને? તો આ કેળનો છોડ તો ટેન-ઈન-વન છે: ૧. ગંદા પાણીનો નિકાલ અને કોરા રસ્તા, ૨. મચ્છર-માખીના ત્રાસમાંથી રાહત, ૩. ખાવા માટે કેળાં, ૪. જમવા માટે કેળનાં પાન, ૫. થાળીઓ માંજવાની ખટપટ નહીં, ૬. વાસણ સાફ કરવાના સાબુની જરૂર નહીં, ૭. વપરાયેલા પાન ખાડામાં નાખો તેનું ખાતર, ૮. ફુગાવાની ચિંતા નહીં, ૯. કેળના ઝાડમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy