SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વડોદરાનાં જિનાલયો લગભગ ૧૯૦૦માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ મૂળચંદ જીવચંદ તેનો વહીવટ કરતા હતા. એક શ્રી કેસરીવિજયજી જૈન લાયબ્રેરીનો ઉલ્લેખ થયેલ હતો. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૦૦નો છે. ગામ - શુક્લ તીર્થ તાલુકો - ભરૂચ. ૧૪. શ્રી આદિનાથ જિનાલય (સં. ૧૯૮૫) ભરૂચ તાલુકા મથકથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલાં શુક્લ તીર્થ ગામમાં નીચલી બજારમાં પશ્ચિમાભિમુખી, ઘુમ્મટબંધી, ઘર જેવી બાંધણીવાળું આ જિનાલય બીજા માળે આવેલું છે. આ દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૨૩માં કરવામાં આવી હતી. આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિના શિષ્ય શ્રી રેવતસાગરજી તથા શ્રી જયઘોષસાગરજી મ. સા. ની નિશ્રામાં શ્રાવક શ્રી મગનભાઈ દેવચંદભાઈએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. દેરાસર ઉપરના માળે છે. કાઇના જાળીવાળા એક પ્રવેશદ્વારમાંથી વિશાળ રંગમંડપમાં પ્રવેશતાં ડાબી બાજુ ગોખમાં શ્રી ગોમુખ યક્ષ, શ્રી શત્રુંજય અને શ્રી પાવાપુરી તીર્થના પટ તથા જમણી બાજુના ગોખમાં શ્રી ચકેશ્વરી દેવી, શ્રી સમેતશિખર અને શ્રી ગિરનાર તીર્થના પટ દિવાલ ઉપર પત્થર વડે ઉપસાવેલાં છે. ગર્ભદ્વારની આજુબાજુ દિવાલ ઉપર શ્રી સમવસરણ, જન્માભિષેક છપ્પન દિક્યુમારિકા, શ્રી અષ્ટાપદેજી તથા ભગવાનના જીવનચરિત્ર વગેરે સુંદર ચિત્રો કાચમાં મઢીને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૧૭" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. ભાણેજ નગર વીર સં. ૨૪૯૨ વર્ષ ફાલ્ગન સુદી ૩ દિને ઇંદ્ર શ્રી ઋષભદેવસ્વામી જિનબિંબ સાણંદ નિવાસી મહેતા ગોવિંદજી સુપુત્ર ઠાકરસીભાઈ ધ. ૫. સૂરજબેન સુપુત્રી મણિબહેન, મોતીબહેન, જસીબહેન સ. . . . . . . . . . . . . . . . . . શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી શ્રી કીર્તિસાગરસૂરીશ્વરઃ” આ. શ્રી કૈલાસસાગરસૂરિણા. ” દેરાસરનો વહીવટ શુકલતીર્થ જૈન શ્વેતાંબર સંઘના ટ્રસ્ટી શ્રી ઠાકોરલાલ નગીનદાસ શાહ, સુરેશભાઈ ખીમચંદભાઈ શાહ, હાલ અમદાવાદ નિવાસી જયંતિભાઈ ગુલાબચંદ શાહ હસ્તક છે. દેરાસરની સ્થિતિ સારી છે. દેરાસર ઉપરના માળે છે. તેની નીચે ઉપાશ્રય છે જેનો વહીવટ શુકલતીર્થ જૈન શ્વેતાંબર
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy