SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૨૨૫ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. ત્યારે પાંચ આરસપ્રતિમા અને પંચાવન ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં પાંચ આરસપ્રતિમા અને પચાસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ તલકચંદ ડાહ્યાભાઈ હસ્તક હતો. આજે જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી દેવેન્દ્રભાઈ નાનકચંદ શાહ, શ્રી હરેશભાઈ ભોગીલાલ શાહ તથા શ્રી વીરેન્દ્રભાઈ જયંતિલાલ શાહ હસ્તક છે. જિનાલયના રંગમંડપમાં ભીંત પર એક લેખ છે. સં. ૧૮૯૫માં પુન:પ્રતિષ્ઠા તથા સં ૧૯૫૯માં ફરી એક વાર પુન:પ્રતિષ્ઠા આ જિનાલયમાં થઈ હતી. એટલે કે જિનાલયનો જીર્ણોદ્ધાર આ સમય દરમ્યાન થયો હશે. હાલ પણ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬ ૧૩ પૂર્વેનું છે. કપૂરમહેતાનો પાડો આદેશ્વર (સં. ૧૮૨૧ પૂર્વે) કપૂરમહેતાનો પાડો એ તંબોલી પોળની નજીક આવેલ વિસ્તાર છે. તેના એક ખૂણામાં શ્રી આદેશ્વર ભગવાનનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. તેની બાજુમાં જ શ્રી સાધ્વીજી મહારાજનો ઉપાશ્રય છે. રંગમંડપમાં પ્રવેશતાં, રંગકામ કરેલા થાંભલાઓ દેખાય છે જેની ઉપર નીચેના ભાગમાં વાજિંત્ર વગાડતી સુંદર દેવીઓની કલાત્મક શિલ્પાકૃતિઓ છે તથા થાંભલાની કમાનો પર પણ વાજિંત્ર વગાડતી સુંદર પૂતળીઓ છે. રંગમંડપના ઘુમ્મટના ભાગમાં રંગબેરંગી પૂતળીઓ, દેવ દેવીઓ તથા શ્રી નેમિનાથ ભગવાનની ચોરી, વરઘોડો જેવી વિવિધ રચનાઓ છે. વળી, નાની ઝરૂખાવાળી બારીઓ તથા હાથીઘોડાનાં સુંદર શિલ્પો છે. ઝરૂખાવાળી બારીઓમાં પણ અતિ સુંદર કોતરણી છે. રંગમંડપમાં ગોખની રચના છે પણ તે ખાલી છે. રંગમંડપના ઘુમ્મટની મોહક કાષ્ઠકલા એ આ જિનાલયની વિશેષતા છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૩૪) ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વરની રાતા આરસની ૨૩” ઊંચાઈ ધરાવતી પ્રતિમા ઉપરાંત ખૂણામાં પણ શ્રી આદેશ્વર ભગવાનની નાની રાતા આરસની એક પ્રતિમા છે. ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ બિરાજમાન છે. ઉપરાંત આરસની બે અલગ અલગ પ્રતિમાઓ શિખર જેવી રચનાવાળા સિંહાસનમાં જોવા મળે છે જેની આજુબાજુ શ્રાવક શ્રાવિકા દર્શનાર્થે ઊભેલા છે. આખી રચના સુંદર છે. અહીં છ આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. વળી, ગભારામાં પ્રતિમાઓ બિરાજમાન છે તે પાળી પણ રાતા રંગની છે. મૂળનાયક તથા અન્ય આદેશ્વરની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy