SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પાટણનાં જિનાલયો તંબોળીવાડો સુપાર્શ્વનાથ (સં. ૧૬૧૩ પૂર્વે) તંબોલીવાડામાં શ્રી મહાવીર સ્વામીના જિનાલયથી થોડેક આગળ જતાં શ્રી સુપાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. જિનાલય અતિ જીર્ણ થયું હોવાથી હાલ અહીં જીર્ણોદ્ધાર ચાલુ થયો છે. જિનાલયના બહારના ભાગે સુંદર કોતરણીયુક્ત ટોડલા છે. થાંભલા પર પૂતળીઓ છે. રંગમંડપમાં હાલ બે દ્વારેથી જઈ શકાય છે. રંગમંડપ બે છે. એક જાળિયાવાળો છે. બીજો ચોરસ છે. અહીં આરસની કોતરણીયુક્ત પાંચ ગોખ છે જેમાં મૂર્તિ કે પ્રતિમા નથી. એક ગોખમાં વિજયવલ્લભસૂરિનો ફોટો છે. રંગમંડપની ડાબી બાજુની દીવાલ પર નીચે મુજબનો લેખ છે : “પ્રથમ પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૯૫ શ્રાવણ વદ પના દિને થઈ. બીજી પ્રતિષ્ઠા પ્રવર્તક શ્રી કાંતિવિજય મહારાજના શિષ્ય મહારાજ શ્રી ચતુરવિજયજી તથા આચાર્ય શ્રી સિદ્ધિસૂરિશ્વરજીના પ્રશિષ્ય શ્રી હેમેન્દ્રવિજયજીએ વિ. સં. ૧૯૯૫ના વૈ. સુ૧૦ શુક્રવારના દિવસે શુભ મુહૂર્ત કરાવી.” હાલમાં ગભારામાં પાછળની દીવાલ તથા ગર્ભદ્વારની ઉપરના ભાગે કાચકામ દેખાય છે. જાણવા મળ્યું છે કે અગાઉ ઘણાં વર્ષો પૂર્વે આ જિનાલય કાચનું હતું. તેના થોડાક આ અવશેષો છે. હવેના જીર્ણોદ્ધારમાં સ્તંભ પરના કાચ તો ઉખાડી દીધેલા હતા, તેથી આ અવશેષો રહેશે નહિ. વાત કરતાં જાણવા મળ્યું છે કે બહારની થોડી જગ્યા છે તે રંગમંડપમાં લઈ લેવામાં આવશે અને ફરતી ભોમતી બનશે. ગભારામાં ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી સુપાર્શ્વનાથની સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમાલેખ નથી. અહીં પાંચ આરસપ્રતિમા તથા પચાસ ધાતુપ્રતિમા છે. તદુપરાંત, ગૌતમસ્વામીની એક નાની ધાતુમૂર્તિ છે. જમણે ગભારે ચંદ્રપ્રભુ છે અને ડાબે ગભારે તીર્થકરનું નામ લખ્યું નથી. લાંછન ઘસાઈ ગયું છે તેથી ઓળખી શકાયા નથી. આ બન્ને પ્રતિમા પર લેખ છે. પણ સંવત સિવાય કશું વાંચી શકાતું નથી. ચંદ્રપ્રભુ પર સં. ૧૪૭૧ અને ડાબે ગભારે બિરાજમાન પ્રતિમા પર સં. ૧૪૪૦નો લેખ છે. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અને સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં સાતત્યપૂર્વક આ જિનાલયનો ઉલ્લેખ મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy