SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો અને ભક્તિપૂર્વક આરાધવામાં આવી હશે ! આ સમય દરમ્યાન નગરશેઠ શ્રી ખુશાલચંદ અને પાંજરાપોળમાં રહેતા કપૂરચંદ ભણશાળીને અનેક રાજકીય આફતોનો સામનો કરવો પડ્યો. મુસ્લિમ રાજ્ય અમલના છેલ્લાં ૫૦ વર્ષ અને મરાઠી સત્તા કાળના ૬૦-૭૦ વર્ષ એમ આશરે ૧૦૦થી વધુ વર્ષ દરમ્યાન આ રાજનગરે અનેક ચડતી-પડતીઓ જોઈ. આ શહેરને રાજ્યસત્તાઓએ બરબાદ કરવામાં કોઈ કમી રાખી નથી. આ સમય દરમ્યાન નવાં મંદિરોનાં બાંધકામની પ્રવૃત્તિ ખૂબ જ ધીમી પડી ગઈ. તેમ છતાંય સં. ૧૭૦૧ થી સં. ૧૮૩૬ દરમ્યાન અમદાવાદમાં આશરે ૨૫ જિનાલયોનું નિર્માણ થયું હતું. આ રાજકીય આફતો તથા કિન્નાખોરીને કારણે નગરશેઠ શ્રી ખુશાલચંદને કેટલોક સમય અમદાવાદ પણ છોડવું પડ્યું હતું. કપૂરચંદ ભણશાળી જેવાનું રાજકીય કિન્નાખોરી અને વ્યાવસાયિક હરીફાઈને કારણે ઘાતકીપણે ખૂન કરવામાં આવ્યું હતું. નગરશેઠ ખુશાલચંદ તથા કપૂરચંદ ભણશાળીના જીવનપ્રસંગોની નોંધ આ ગ્રંથના અન્ય પ્રકરણમાં મૂકવામાં આવેલી છે. આ સમય દરમ્યાન પતાસાની પોળના જૈન શ્રેષ્ઠી લાલા હરખચંદે મરાઠા સરદાર શેલકરના જુલ્મમાંથી શહેરની પ્રજાને ઉગારવા માટે મહાન ત્યાગનું દષ્ટાંત પૂરું પાડ્યું. મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું ત્યારે લાલા હરખચંદે શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયાની આજે કેટલી કિંમત ગણાય તેનો અંદાજ પણ આવી શકે તેમ નથી ! લક્ષ્મીનું ઉપાર્જન કરનારા રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ સમય આવે સૌના રક્ષણ અને કલ્યાણ માટે લક્ષ્મીનો કેવો મહાન ત્યાગ કરે છે તેનું આ જ્વલંત અને વિરલ દષ્ટાંત છે. ધન્ય છે આવા ત્યાગવીર, દાનવીર જૈનશ્રેષ્ઠીઓને ! તેઓના આવા મહાન ત્યાગનું સ્મરણ કરતાં આપણાં મસ્તક ઉન્નત થઈ જાય છે. 'આ લાલા હરખચંદ શેખના પાડામાં આવેલું શીતલનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. પતાસાની પોળમાં આજે પણ ‘લાલાનો ખાંચોનામનો વિસ્તાર લાલા હરખચંદના નામ સાથે જોડાયેલો છે. સં. ૧૮૩૬ દરમ્યાન (ઈ. સ. ૧૭૮૦માં) કંપની સરકાર વતી બંગાળના લશ્કરના બિગ્રેડીયર જનરલ ગોડાર્ડ મરાઠી પેશ્વાના ઑફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. તે માટે એણે અમદાવાદ પાસે આવીને પડાવ નાંખ્યો. અમદાવાદના ખાનજહાંન દરવાજા પાસેની દીવાલોમાં ગાબડાં પાડ્યાં. જનરલ ગોડાર્ડના લશ્કરથી શહેરની પ્રજા અને માલ-મિલકતને બચાવવા માટે શહેરના આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ નગરશેઠ નથુશા શેઠની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy