SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો બિરાજમાન અરિહંત ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને તોડી ન શકાઈ ! એ શ્રદ્ધા તો વધુ ને વધુ બળવાન બનતી ગઈ, દઢ થતી ગઈ, અવિચલ થતી ગઈ. જિનશાસન પ્રત્યેની આ શ્રદ્ધાનો મંગલદીવો ક્યારેય પણ, એક ક્ષણ માટે પણ, ઓલવાયો નહીં અને સતત પ્રજ્વલિત રહ્યો. એ મહાઆપત્તિના કાળે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ભારે હૈયે પરંતુ ઠંડે કલેજે એ ઘા સહન કર્યો અને અદ્વિતીય સંયમ દાખવ્યો. એમણે એ તોફાની વાવાઝોડાના સમયને શાંતિથી પસાર થવા દીધો. કટ્ટર ઇસ્લામવાદનું એ વાવાઝોડું થોડુંક નુકસાન તો કરી જ ગયું; પરંતુ જેવો થોડો અનુકૂળ સમય રાજકીય વાતાવરણમાં આવ્યો કે તરત જ જિનમંદિરો બાંધવાનાં પુણ્યકાર્યોનો પુનઃ આરંભ થઈ ગયો. અમદાવાદ-રાજનગરે થોડાક સમય માટે પોતાનાં અંગો સંકોચી લીધાં; થોડાક સમય માટે જિનશાસનની આરાધના ભોંયરાઓમાં પ્રવેશી, પરંતુ રાજકીય અંધાધૂંધીનાં વાદળો જેવાં વીખરાયાં, જેવો નવો સૂર્યોદય થયો કે તરત જ જૈનમંદિરોનાં શિખરો પર “જૈન” જયતિ શાસનમ્” ના સૂરો રેલાવતી ધજાઓ પુનઃ ફરકવા માંડી. નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને ચિંતામણિ પાર્શ્વનાથનું એ ભવ્ય જિનાલય એ બંને વિશેની નોંધ આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલી છે. સં. ૧૭૦૦ની આસપાસ બની ગયેલી ચિંતામણિ પાર્શ્વનાથની આ દુર્ઘટના બાદ થોડોક સમય મુગલ શાસનની પકડ ગુજરાતમાં રહી અને ત્યારબાદ મુગલ સુબાઓએ પોતાને હસ્તક સત્તા લઈને રાજ્ય અમલ શરૂ કર્યો. મુગલ સત્તાના છેલ્લાં ૫૦-૬૦ વર્ષ દરમ્યાન ઘણી રાજકીય અંધાધૂંધીઓ વર્તાવા લાગી. અંધાધૂંધી અને અરાજકતાના તેવા વાતાવરણમાં પણ બરાબર સો વર્ષ પછી એટલે કે સં. ૧૮૦૦ની આસપાસ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ નગરશેઠ શ્રી ખુશાલચંદ સં. ૧૭૦૦ દરમ્યાન ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી ખસેડી લીધેલી પ્રતિમાઓ પૈકીની કેટલીક પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવી. એમણે વાઘણપોળમાં આવેલા આદીશ્વર ભગવાનના ભોયરામાં તથા જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી. તે સમયની પ્રતિમા સંભવનાથ ભગવાનના ભોંયરામાં પણ બિરાજમાન થયેલી છે. તે સમયની એટલે કે સં. ૧૬૮૨માં અંજનશલાકા થયેલી કેટલીક પ્રતિમાઓ આજે પણ અમદાવાદનાં કેટલાંક દેરાસરોમાં બિરાજમાન છે. પાંજરાપોળમાં આવેલ શાશ્વતાજીની ખડકીમાં શાશ્વતા વર્ધમાન, મુલેવા પાર્શ્વનાથની ખડકીમાં આવેલા મુલેવા પાર્શ્વનાથ, નિશા પોળમાં જગવલ્લભ પાર્શ્વનાથનાં દેરાસરમાં આવેલ શ્રી આદિનાથ, શાંતિનાથની પોળમાં આવેલ શાંતિનાથજીના દેરાસરમાં આવેલ એક પ્રતિમાજી, ધનાસુથારની પોળમાં આવેલ મહાવીર સ્વામી તથા હરિપુરામાં વિદ્યમાન વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં બિરાજમાન સંભવનાથ ભગવાન, ઝવેરીવાડમાં આવેલ સંભવનાથની ખડકીમાં સંભવનાથ ભગવાનના દેરાસરમાં શ્રી ધર્મનાથ, શ્રી મહાવીર સ્વામી વગેરે પ્રતિમાજીઓ પર સં. ૧૬૮૨ના મૂર્તિલેખ છે. મૂર્તિઓની આ જાળવણી અને સાચવણી અને તે અંગે ઘણીવાર જાનના જોખમે પણ લેવાયેલી કાળજી એ જૈન ચતુર્વિધ સંઘની ખૂબ જ નોંધપાત્ર લાક્ષણિકતા છે. વર્ષો સુધી મકાનોનાં ભોયરાંઓમાં કે ઉપરના માળામાં આવેલી નાની-નાની ઓરડીઓમાં કે જિનાલયોનાં ભોંયરાંઓમાં આ પ્રતિમાઓ કેવાં ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy