SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતનાં જિનાલયો ૫૩ ત્યારબાદ સં. ૧૯૭૩માં. સં૧૭૦૧માં કે સં. ૧૮૧૭માં રચાયેલી ચૈત્ય પરિપાટીઓમાં અનંતનાથના જિનાલયનો ઉલ્લેખ થયો નથી. ખારવાડામાં કંસારી પાર્શ્વનાથના જિનાલયની નજીક આવેલા અનંતનાથના જિનાલયનો ઉલ્લેખ સં૧૯૦૦માં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે ક્રમાંક ૧૦માં આ જિનાલયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રથમ ખારવાવાડામાં દેહરાં ૧૨, તેહની વિગત ૧. શ્રી સ્વંભણ પાર્શ્વનાથનું દેહરું તે મધઈ ૯. શ્રી કંસારી પાર્શ્વનાથનું દેહરુ ૧૦. શ્રી અનંતનાથનું દેહરુ ૧૧. શ્રી મહાવીર સ્વામી દેહરુ સમવસરણ ચૌમુખ ૧૨. શ્રી મુનીસુવ્રત સ્વામીનું દેહરું. સં. ૧૯૪૭માં જયતિહુઅણ સ્તોત્ર ગ્રંથની પ્રસ્તાવનામાં ખારવાડા વિસ્તારમાં આ જિનાલયનો ઉલ્લેખ ક્રમાંક ૯ માં થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં ખારવાડામાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી જિનાલય તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડામાં આવેલા અનંતનાથના જિનાલયમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ બિરાજમાન હતી અને તે જિનાલય વિશેની નોંધ પૃ. ૩૮ પર નીચે મુજબ મળે છે : “ધોબી ચકલે આવી દેતારાવાળું શ્રી અનંતનાથનું દેહરૂં જુહારવું. સુઘડતા અને સ્વચ્છતા અહીં સારી રહે છે. વ્યવસ્થા શા શેઠ છોટાલાલ જવેરચંદ દેતારા કરે છે જે નજીકમાં જ વસે છે.” સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં ખારવાડામાં આવેલા અનંતનાથજીના જિનાલયને ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે. તે સમયે પાષાણની પાંચ પ્રતિમાજીઓ વિદ્યમાન હતી. જિનાલયના મકાનની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ છોટાલાલ ઝવેરચંદ હસ્તક હતો. આજે આ જિનાલયનો વહીવટ શ્રી રસિકલાલ પરસોત્તમદાસ દતારા તથા શ્રી બંસીલાલ વાડીલાલ દતારા હસ્તક છે જેઓ લાડવાડામાં રહે છે. આરસપહાણથી બનેલું આ જિનાલય નાનું છતાં સુંદર છે. જિનાલયના જીર્ણોદ્ધાર વખતે આ જિનાલયના ગભારામાં ખોદકામ કરતાં અહીંથી ૧૯૦ પંચધાતુની પ્રતિમાજીઓ નીકળી હતી. તે રસિકલાલ દંતારાના ઘરમાં પધરાવેલ હતી. જિનાલયના જીર્ણોદ્ધારનું કાર્ય પૂરું થતાં હાલ આ બધી પ્રતિમાઓ રંગમંડપમાં બનાવવામાં આવેલા ભીંત કબાટમાં મૂકવામાં આવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy