SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨ ખંભાતનાં જિનાલયો ખારવાડામાં ૧. થંભણ પાર્શ્વનાથ. ૨. સીમંધરસ્વામી. ૩. અજિતનાથ. ૪. સહેસફણા પાર્શ્વનાથ. ૫. આદેશર ભગવાન. ૬. મોહોર પાર્શ્વનાથ. ૭. મુનિસુવ્રત સ્વામી. ૮. કસારી પાર્શ્વનાથ. ૯. અનંતનાથ. ૧૦. મહાવીર સ્વામી(ચૌમુખ). ૧૧. મુનિસુવ્રતસ્વામી. એટલે કે સં૧૯૦૦માં વિદ્યમાન બાર જિનાલયો પૈકી સં૧૯૪૭માં કુલ અગિયાર જિનાલયો વિદ્યમાન હતાં. સં. ૧૯૦૦માં વિદ્યમાન શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં. ૧૯૪૭માં પ્રાપ્ત થતો નથી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ખારવાડો એ નામે પ્રસિદ્ધ વિસ્તારમાં સાત જિનાલયો વિદ્યમાન હતો. (૧) મહાવીર સ્વામી (૨) કંસારી પાર્શ્વનાથ (૩) અનંતનાથ (૪) મુનિસુવ્રતસ્વામી (૫) સ્થંભણપાર્શ્વનાથ (૬) સીમંધર સ્વામી (૭) અજિતનાથ. સં. ૧૯૮૪માં ખંભાતનો ઇતિહાસ અને ચૈત્યપરિપાટીમાં ખારવાડા વિસ્તારમાં નીચે મુજબના સાત જિનાલયો વિદ્યમાન હતાં. ૧. અનંતનાથ. ૨. મહાવીર સ્વામી. ૩. કંસારી પાર્શ્વનાથ. ૪. મુનિસુવ્રતસ્વામી. ૫. સ્થંભણપાર્શ્વનાથ. ૬, સીમંધર સ્વામી - પદ્મપ્રભુ ૭. સુખસાગર પાર્શ્વનાથ. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પણ ઉપર્યુક્ત સાત જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે. આજે પણ આ વિસ્તારમાં ઉપર્યુક્ત સાત જિનાલયો યથાવત્ છે. ઉપરાંત શ્રી શાંતિનાથજીનું ઘરદેરાસર પણ અહીં મુનિસુવ્રતસ્વામી તથા મહાવીરસ્વામી (ચૌમુખજી)ના જિનાલય સામે આવેલું છે. ખારવાડો અનંતનાથ (સં. ૧૯૦૦ પહેલાં) ખારવાડામાં પ્રવેશતાં પ્રથમ શ્રી અનંતનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની બાજુમાં જ અડીને શ્રી કંસારી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. બીજી બાજુ ગુરુમંદિર છે, જેમાં વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજસાહેબની પાષાણની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. ગુરુમંદિરની સ્થાપના સં. ૨૦૫રમાં થયેલી છે. અનંતનાથની પ્રતિમાના સંદર્ભમાં ‘સૂરીશ્વર અને સમ્રાટ' ગ્રંથમાં પૃ. ૨૧૫ પર પ્રતિષ્ઠા થયા અંગેની નીચે મુજબની નોંધ મળે છે. “..... વિ. સં. ૧૯૪૬માં હીરવિજયસૂરિજી ખંભાત આવ્યા ત્યારે જયેષ્ઠ સુદિ નોમના દિવસે સોની તેજપાલે અનંતનાથની પ્રતિષ્ઠા કરાવી પચીસ હજાર રૂપિયા ખર્યા હતા. આ જ વખતે સોમવિજયને ઉપાધ્યાય પદવી પણ આપવામાં આવી હતી.....” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005593
Book TitleKhambhatna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy