SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) . વિશ્વરચનાપ્રબંધ. ટેકાથી જાહેર થયું કે મહાવીર એ બુદ્ધનું અપર નામ છે, તે વાત સત્ય નથી. અહિંસાના પ્રાચીન પ્રચારક જૈન ધર્મના આદિજિન ક્યારે થયા તે આંકડા મૂકવા કઠિન છે. (પ્રા. ધ. ૧૧૦ ) પુરાણે કહે છે કે-ગષભદેવજી સ્વયંભૂ મવંતરમાં થયા છે, તેની ગણના કરવી મુશ્કેલ છે. (ચ૦ ચં૦ ૨૪૮) જેના તીર્થકરો કરડે વર્ષ સુધી ધર્મોપદેશ દેતા હતા. આ જેનો પૃથ્વીને અનાદિ માને છે. (પ્રા. ધ૦ ૧૦૬) - જૈનધર્માનુયાયી જ્ઞાનીઓ કહે છે કે–સોની જ્યારે સ્વર્ણમહેર (ગીની) ની વીંટી બનાવે છે, ત્યારે તેમાં સેનું તે સેનાપણે અનાદિ કાળથી છે, અને તે જ સ્વરૂપમાં રહે છે, પણ સોનામહેરના સ્વરૂપને લય થયો કહેવાય છે, અને વીંટીપણની ઉત્પત્તિ કહેવાય છે. વળી એક ઘર નવું બન્યું, એમ કહીએ તે તેમાં પરાવર્તનને લઈને આરંભ કહી શકાય છે, કા૨ણ કે-ઈંટ નળીઆ માટી લાકડું વિગેરે તે હતા, પણ તેને રીતસર ગોઠવવાથી–પરાવર્તનથી નવું સ્વરૂપ બન્યું. તેને આ પણે નવું કહીએ છીએ. અને તેની સાથે અમુક હેતુએ તે પશચંતન કરનાર કડીયા સુતાર અને કુંભાર વિગેરે માત્ર ઘરના કર્યો છે એમ પણ કહી શકાય છે. આ જ રીતે જગત અનાદિ છે, જેને વેદોમાં પ્રવાહથી અનાદિ કહે છે. પણ તેમાં ઘણે કાળે ચયાપચય-હાનિ વૃદ્ધિ થાય છે. એટલે જેમ માટલાંટિક મહાસાગર ભૂતકાળમાં મોટા ખંડ રૂપે હતા, તે હાલ તે જળમય પ્રદેશ રૂપે છે. એમ ફેરફારો બન્યા કરે છે. એટલે કઈ જગતકત નથી, છતાં જે ઉપચારિક જગતકતા માનવો હેય તે પ્રત્યેક જીવ શુભાશુભ પ્રવૃત્તિથી કાલ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ અને નિયતિ, એ પાંચ કારણે પામીને પિતપતાનું જગત કરે છે. તેમજ તે જીવ જ્યારે પિતાના આઠ ગુણોને આવરણ રહિત કરે છે, ખીલવે છે, એટલે આઠ ગુણમય અષ્ટમૂર્તિ બને છે, ત્યારે પિતાના સંસારને સંહાર કરે છે. જી અનંતા છે, અને તે દરેક પિતપોતાના કર્મ-કાર્યના કર્તા તથા ભક્તા છે, બાકી તેથી જુદે કે | જગતકર્તા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy