SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા વેશ્યા સાથે વેપાર ન કરવો, નીચ માણસની સાથે સ્નેહ ન કરવો. એથી ખાંપણ આવે, ઘરનું ધન જાય અને કોક વખત જીવન પણ જોખમમાં મુકાય. (૧) વેશ્યા સાથે વેપાર કરવો નહિ. (૨) નીચ માણસ સાથે સ્નેહ કરવો નહિ. એ બે શિખામણો આ કડીમાં છે. [૧૧-૧૨] વેપારને કારણે પણ વેશ્યા સાથેનો સંસર્ગ વધતાં પરિણામ સારું આવતું નથી. લસણનો વેપાર કરનાર જેમ તેની દુર્ગધથી બચી શકતો નથી, તેમ વારાંગના સાથે વેપાર કરનાર પણ કેટલાક દોષોથી બચી શકતો નથી. સ્નેહ કરવો તો સારા માણસ સાથે કરવો, પણ નીચની સાથે સ્નેહ ન કરવો. એ સ્નેહ હંમેશાં એકપાક્ષિક બની રહે છે. જો તમે સજ્જન હો તો એવા સ્નેહનાં કપરાં પરિણામ તમારે ભોગવવાનાં રહે છે. નહિ તો તમારે નીચની સામે નીચ બનવું અનિવાર્ય છે. આ બન્ને શિખામણોને નહિ આદરનારને થતા ગેરલાભો શિક્ષાકારે આ પ્રમાણે જણાવ્યા છે – (૧) ખાંપણ આવે, અર્થાત્ એબ લાગે, વેશ્યા સાથેના વેપારીને અને નીચ સાથે સ્નેહ રાખનારને એબ લાગતાં વાર લાગતી નથી. (૨) પોતાનું ધન જાય. સામા બન્ને ધન રાખીને અમુક પ્રકારની વાત કરે એટલે આપેલું કે પોતાનું વાજબી નીકળતું ધન પાછું આવવાનો કોઈ માર્ગ નથી. અને જો એ માટે કાંઈ કડક પ્રયત્ન કરવામાં આવે તો (૩) જીવન જોખમમાં મુકાય. માટે આ બન્ને શિક્ષાઓનો અમલ વ્યવહારમાં વસતા માણસો માટે ખાસ જરૂરી ચોથી કડીમાં છત્રીશીકાર ૫ શિખામણો આ પ્રમાણે આપે છે – કામ વિના પર ઘર નવિ જઈએ, આળ-જાળ ન દીજે જી; બળિયા સાથે બાથ ન ભરીએ. કુટુંબ કલહ નવિ કીજે ૪ સુણજો સજ્જન રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy