SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૩ કારીગરમાં કળા હોય છે, પણ તે તે કળાનો પૂજક નથી હોતો પણ વેચનાર હોય છે. કળાનું વેચાણ એ આદરણીય તો નથી જ. તેના સંસર્ગથી કળાનું વેચાણ અનાદરણીય છે એ ભાવનાને ધક્કો પહોંચે છે, માટે શિલ્પીનો સંસર્ગ ન કરવો. નારુની સોબત ન કરવી – નાર – વસવાયા. એ હલકી જાતના માણસો છે, તેની સોબતથી હલકા સંસ્કારો આવે છે. માટે નાની સોબત ન કરવી. કારુ પાંચ અને નારુ નવ એમ સર્વ મળી ૧૪ છે. [૧૦]. ચોરનો સંગ ન કરવો – ચોરનો સંગ કરવાથી લાભ શું? અને ગેરલાભ શું? એ સ્પષ્ટ સમજાય એવું છે. ચોરી કર્યા વગર પણ ચોરની પદવી ચોર સાથે સંગ કરવાથી મળી જાય છે. માટે એના સંગથી દૂર રહેવું. આ સાતેના સંસર્ગથી પારમાર્થિક નુકસાન તો છે જ, પણ સંસારમાં સુખી થવું હોય તો પણ આ સાતનો સંસર્ગ વર્જવો. સંસર્ગ અને પ્રયોજન હોય ત્યારે કામ પાડવું એ ભિન્ન છે. જેમાં અરસ- પરસ એકતા જામતી જાય છે તેને સંસર્ગ કહેવામાં આવે છે. એવો સંસર્ગ ન કરવાનું અહીં જણાવ્યું છે. ઉપરની કડીમાં સંગ કોનો ન કરવો એ જણાવ્યું, હવે વેપાર આદિ કારણવશ કોઈ કોઈના સમાગમમાં આવવું પડે છે – તેમાં પણ એવાં કારણો હોય છતાં અમુકના પરિચયમાં ન આવવું એ શિખામણ ત્રીજી કડીમાં છે. - ૩ - વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ. ૩. સુણજો સજ્જન રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy