SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આનંદ મંદિર. મારા સ્વામી પલ્લીપતિના કહેવાથી અમે આ ચોરી કરેલી છે. તે સાંભળતાંજ મને ક્રોધ ચડયા, અને તેમની પાસેથી હાર લઇ તેને શૂળીએ ચડાવવાની શિક્ષા કરવામાં આવી, જે શિક્ષાથી એ દુષ્ટ ચાર પચત્વને પ્રાપ્ત થયા. આ ખબર કાઇ બાતમીદાર પાસેથી સાંભળી શૂર પલ્લીપતિને અતિ કાપ ચડી આવ્યા. તે વનેચરનું મોટું સૈન્ય લઈ સિંહપુર ઉપર ચડી આવ્યા છે. અત્યારે મારા નગર ઉપર માટે ધેરા નાખી એ દુષ્ટ વરેચર પડયા છે. દ્રવ્યના નિધાનને જેમ સર્પે વીંટાઇ વળે, તેમ તેના સૈનિકે મારા નગરને વીંટાઇ વળ્યા છે. તે જો તમારાથી બને તે માટું સૈન્ય લઇ મને સહાય કરવા આવશે. આપત્તિ વખતે સહાય કરવી, એ સંબંધીને ધર્મ છે. મહારાજા ! આ પ્રમાણે શુભગાંગ રાજાએ મને કહેવાને મેકલ્યા છે. તે સાં ભળી દીપચંદ્ર વિચારમાં પડયા, એક તરફ પૈતાને સિંહપુરના રાજાને સહાય કરવા જવું જોઇએ, અને ખીજી તરફ એ પલ્લીપતિ ધણા દુય છે, તેની સામે જવું, તે પણ અતિ વિષમ છે. આ બંને વિચારરૂપ હિંચકામાં દીપચંદ્રનું શકિત મન આંદોલિત થવાલાગ્યું, તે ચિંતાની અસર તેની મુખાકૃતિપર છવાએલી જોઇ, પ્રતાપસિંહે પુછ્યું, રાજેંદ્ર ! ક્રમ વિચારમાં પડયા છે ? તે પક્ષીપતિ કેવા છે ? દીપચંદ્ર ખેલ્યા—મહારાજા ! એ પ લીતિ ખરેખર યમદૂત છે, એ પ્રદેશમાં તેની હાક વાગે છે. વાસતિકા અટવીના અ ધા માર્ગ તેણે રયા છે, ચાર લેાકેાની માટી સેના તેના તાબામાં છે, તેના ભયથી લાકા ત્રાસ પામે છે, તેણે આસપાસના માર્ગ રોક્યા છે, તેથી કાઇ તે રસ્તે જઇ શકતું નથી. ધણા લકાના વ્યાપાર ભાંગી ગયા છે, તેના તાબામાં રહેલી વનેચરની સેના સર્વે સ્થળે ત્રાસ વર્તાવે છે. મહારાજા ! વધારે શું કહેવું ? તેની ઉપર ચડી જવામાં પરાભવ શિવાય ખીજું કાંઇ થવાનુંજ નહીં. અમારી નગરી પણ કુગ્રહની જેમ તેનાથી ભય પામે છે. આ વખતે શુભગાંઞ રાજાની સહાય કરવી જોઇએ, પણ એ દુષ્ટની સામે થવાને મારી હિ'મત ચાલતી નથી. આ વિષે તમારી શી સલાહ છે ? દીપચંદ્રનાં આવાં વચન સાંભળી હસ્તીની ગર્જના સાંભળી જેમ કેશરીસિ તુ ગાજી ઉઠે, તેમ પ્રતાપસિંહ ગાજી ઉડયેા. તેનામાં ક્ષાત્રતેજ પ્રકાશિત થઇ ગયું. રાર્યતાને પ્રભાવ તેના અંગે અંગમાં વ્યાપી ગયા, દક્ષિણુ હાથમાં ખડ઼ે ઉંચુ કરી તે એયા—દીપશિખા પતિ ! ચાલા, સત્કર તૈયારી કરા. ક્ષાત્રતેજની આગળ એ પક્ષીતિ ક્રાણુ માત્ર છે ? શીયાળથી કેશરી કેમ ભય પામશે ? ક્ષત્રીય વીરની આગળ તે વીચરના શા ભાર છે ? આટલું કહેતાંજ તેણે પ્રયાણુની ભેરી વગડાવી. પ્રયાણનું વાદ્ય સાંભળી તેની ચતુરંગ સેના સજ્જ થઇ ગઇ, તેના શૂરવીર સુભટા મસ્ત થઇ માહાલવા લાગ્યા. યુદ્ઘના ઉત્સાહથી સર્વનાં મન પ્રષુલ્લિત થઇ ગયાં. પ્રતાપસિંહના પ્રતાપનું તેજ પ્રત્યેક સૈનિકમાં પ્રગટ થઇ ગયું. આવી મહાન તૈયારી જોઇ રાજા દીપચંદ્ર આશ્ચર્ય પામી ગયા. પ્રતાપની ઉત્સાહ રાક્તિ જોઇ તેના મનમાં નિશ્ચય થયા કે, આ પ્રતાપી પ્રતાપ જરૂર પલ્લીપતિને પરાભવ કરશે. શુભ મુત્તે પ્રયાણ કરી સમથળને વિષમ કરતું, તે વિષમસ્થળને સમ કરવું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy