SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ देवगृहे देवपूजाऽपि स्वद्रव्येणैव यथाशक्ति कार्यां - - पूजां च वीतरागानां स्वविभवोचित्येन । ‘विभवानुसारेण यत्पूजनम् ।' ‘યથાનામ ।' नियविहवाणुरूवं ।' જિનમંદિરમાં જિનપૂજા પણ સ્વદ્રવ્યથી જ યથાશક્તિ કરવી. વીતરાગ પરમાત્માની પૂજા પોતાના વૈભવ મુજબ કરવી. વૈભવને અનુસારે પૂજન કરવું. જેવી આવક હોય તે મુજબ. પોતાના વૈભવને અનુરૂપ. પોતાની શક્તિ મુજબ જિનભક્તિ કરવી. ‘સ્વાવચનુસારે નિનમત્તિ; વાર્યા' આવા આવા અનેક શાસ્ત્રપાઠો વિદ્યમાન હોવા છતાં અને એવા પાઠો અનેકવાર આપવા, દર્શાવવા છતાં, ‘અમને શાસ્ત્રપાઠો મળ્યા નથી, આપ્યા નથી, બતાવ્યા નથી, એવા કોઈ શાસ્ત્રપાઠો છે જ નહિ’– એવો પણ અપપ્રચાર ચાલુ રહ્યો-૨ખાયો છે. આવો અપપ્રચાર કરનાર વર્ગ જે મહાપુરુષને પોતાના આરાધ્ય તરીકે ઓળખાવવાનો દાવો કરે છે, તે સ્વનામધન્ય સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં થયેલું ને પ્રસ્તુત વિષય ઉપર સુંદર પ્રકાશ પાડતું એક અતિ મનનીય પ્રવચન અત્રે પ્રકાશિત કરાય છે. આ પ્રવચન વિ. સં. ૨૦૦૬ની સાલમાં પાલિતાણાના ચાતુર્માસમાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીએ કર્યું હતું અને તે સમયે ‘જૈન પ્રવચન' સાપ્તાહિકમાં અને તે પછી ‘ચાર ગતિનાં કારણો' પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૧૩૫
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy