SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિપતિ આચાર્ય મ. શ્રી હીરસૂરીશ્વરજી મ.શ્રીને પૂછાયેલ પ્રશ્નોત્તર ગ્રંથ જે “હીરપ્રશ્ન'ના નામથી સુપ્રસિદ્ધ છે. તેના પ્રમાણોથી સ્પષ્ટતા કરવી આવશ્યક જણાઈ છે. ‘હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં પૂ.પં.નાગર્ષિગણિના આ મુજબના ૩ પ્રશ્નો છે કે, (૧) ગુરુપૂજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય કે નહિ ? (૨) તથા પૂર્વે આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ ? (૩) તેમજ એ દ્રવ્યનો ઉપયોગ કયાં કરાય? આ જણાવવા કૃપા કરશો. આ પ્રશ્નોના ઉત્તર આપતા પૂ.આ.મ.શ્રી ફરમાવે છે કે, “ગુરુપૂજા સંબંધી દ્રવ્ય સ્વનિશ્રાકૃત નહિ હોવાથી ગુરુદ્રવ્ય ન થાય, જ્યારે રજોહરણ આદિ સ્વનિશ્રાકૃત હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય. (૨) તેમજ પૂ.આ.મશ્રી હેમચંદ્રસૂરિ મહારાજશ્રીની કુમારપાલ મહારાજાએ સુવર્ણ કમલોથી પૂજા કરી છે, એવા અક્ષરો કુમારપાલ પ્રબંધમાં છે. તેમજ ધર્મલાભ-‘તમને ધર્મનો લાભ થાઓ-એ પ્રમાણે દૂર જેઓએ હાથ ઉંચા કર્યા છે, એવા પૂ.શ્રી સિદ્ધસેનસૂરિજી મ.ને વિક્રમ રાજાએ કોટિ દ્રવ્ય આપ્યું.. “આ અગ્રપૂજારૂપ દ્રવ્યનો તે વખતે જીર્ણોદ્ધારમાં ઉપયોગ કર્યો હતો.” એમ તેમનાં પ્રબંધ વગેરેમાં સંભળાય છે. આ વિષયમાં ઘણું કહેવા યોગ્ય છે. કેટલું લખીએ....” (હીરપ્રશ્ન-પ્રકાશ-૩ પેજ-૧૯૬) ઉપરોક્ત પ્રમાણથી સ્પષ્ટ છે કે, પૂઆ.ભ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજશ્રી જેવા સમર્થ ગીતાર્થ સૂરિપુરંદર પણ ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધારમાં કરવાનો નિર્દેશ કરે છે, જેથી એ સ્વતઃ સિદ્ધ થાય છે કે, “ગુરુપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણી શકાય.' આ પ્રસંગે એ પ્રશ્ન થાય કે, ગુરુપૂજન શાસ્ત્રીય છે કે નહિ ? જો કે એ પ્રશ્નનો ઉદ્ભવ થઈ શકવાને સ્થાન જ નથી. કારણ કે, ઉપરોક્ત સ્પષ્ટ ઉલ્લેખથી જાણી શકાય છે કે પૂર્વકાલમાં ગુરુપૂજનની પ્રથા ચાલુ હતી. માટે જ પૂ.આ.મ.ની સેવામાં પં.નાગર્ષિ ગણિવરે પ્રશ્ન કરેલ છે કે, “પૂર્વકાલમાં આ પ્રમાણે ગુરુપૂજાનું વિધાન હતું કે નહિ ? તેનો જવાબ પણ સ્પષ્ટ આપેલ છે કે, ‘હા, પરમહંત શ્રી કુમારપાલ મહારાજાએ ગુરુપૂજન કરેલ છે. તો પણ આ વિષયમાં પંડિત શ્રી વેલર્ષિ ગણિનો એક પ્રશ્ન છે કે, “નાણાંથી ગુરુ પૂજા ક્યાં જણાવી છે ?' પ્રત્યુત્તરમાં પૂ.આ.મ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાશ્રી ફરમાવે ૧૩૨ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy